Gardening Tips: પપૈયાના ઝાડ ઘણા લોકો ઘરમાં પણ વાવે છે. પપૈયાના ફળ કાચા હોય ત્યારે પણ ઉપયોગમાં લેવાય છે અને પાકા પપૈયા પણ લોકો શોખથી ખાતા હોય છે. કાચું હોય કે પાકુ પપૈયું શરીરને ફાયદો કરે છે. પરંતુ ઘણા લોકોની સમસ્યા એવી હોય છે કે તેઓ પપૈયાનું ઝાડ તો રાખે છે પરંતુ તેમાં ફળ બરાબર આવતા નથી. પરંતુ આજે તમને એવી દેશી વસ્તુ વિશે જણાવીએ જેને પપૈયાના ઝાડમાં ખાતર તરીકે નાખશો તો ફળ વધારે આવશે.
આ પણ વાંચો: Gardening Tips: ઘરે ફુદીનો ઉગાડવાની સૌથી સરળ રીત, બારેમાસ છોડમાં આવતા રહેશે લીલા પાન
પપૈયાના ઝાડમાં નાખો છાણનું ખાતર
પપૈયાના ઝાડને હેલ્ધી રાખવા અને ફળનું ઉત્પાદન વધારવા માટે ઝાડમાં છાણમાંથી બનેલું જૂનું ખાતર ઉમેરવું જોઈએ. જો તમે છાણનું ખાતર પપૈયામાં ઉમેરશો તો ફળ વધારે આવશે. કારણ કે છાણના ખાતરમાં પૌષકતત્વો ભરપુર માત્રામાં હોય છે. તેનાથી પપૈયાના મૂળ પણ મજબૂત થશે.
આ પણ વાંચો: ઉનાળામાં તુલસીનો છોડ કરમાવા લાગે તો માટીમાં ઉમેરી દો આ વસ્તુ, સુકાશે નહીં તુલસી
વર્મી કંપોસ્ટનો ઉપયોગ કરો
તમે વર્મી કંપોસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી છોડને સરળતાથી જરૂરી પોષકતત્વો મળે છે. આ ખાતરના કારણે છોડમાં ઝડપથી ફળ આવવા લાગે છે. દર 2 મહિને પપૈયાના ઝાડમાં 1 થી 2 કિલો વર્મી કંપોસ્ટ ખાતર ઉમેરી શકો છો.
આ પણ વાંચો: માત્ર 4 દિવસમાં કુંડામાં ઉગી જાશે લીલા ધાણા, સુકા ધાણાથી આ રીતે ઘરે વાવો કોથમીર
સરસવની ખલી
સરસવની ખલી પણ પપૈયા માટે સૌથી બેસ્ટ ટોનિક છે. તેમાં નાઈટ્રોજન ભરપુર માત્રામાં હોય છે. આ ખલી છોડમાં ફુલ અને ફળ ઝડપથી વધારે છે. તેને છોડમાં નાખતા પહેલા પાણીમાં 3 થી 4 દિવસ સુધી પલાળીને રાખો. ત્યારબાદ તેનું પાણી પપૈયાના છોડમાં નાખવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ટીપ્સ સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે