Home> Agriculture
Advertisement
Prev
Next

Kisan Samman Nidhi: ભાજપ સરકારની ખેડૂતોને આપી મોટી ભેટ, હવે કિસાન સન્માન નિધિમાં મળશે ₹8000

Kisan Samman Nidhi Increased: ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજસ્થાનની ભાજપ સરકારે મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું છે કે હવે રાજ્યના ખેડૂતોને કિસાન સન્માન નિધિ 8000 રૂપિયા મળશે. 

Kisan Samman Nidhi: ભાજપ સરકારની ખેડૂતોને આપી મોટી ભેટ, હવે કિસાન સન્માન નિધિમાં મળશે ₹8000

PM Kisan Samman Nidhi Scheme : રાજસ્થાનના ખેડૂતો માટે મોટી ખુશખબરી છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજસ્થનના ખેડૂતોને રાજ્યની ભાજપ સરકારે (Rajasthan Government) મોટી ભેટ આપી છે. સરકારે ખેડૂતોને સન્માન નિધિને વધારવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી શનિવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા  (CM Bhajan Lal Sharma) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આપવામાં આવી હતી. 

fallbacks

હવે 8000 રૂપિયા હશે કિસાન સન્માન નિધિ
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ PM કિસાન સન્માન નિધિ અંતર્ગત 2 હજાર રૂપિયાની જાહેરા કરી છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પહેલાંથી જ 6000 રૂપિયા ખેડૂતોને આપી રહી હતી. એવામાં હવે રાજ્ય તરફથી 2000 મળીને 8000 રૂપિયા ખેડૂતોને મળશે. આ વધારો રાજસ્થાન સરકાર પ્ર દર વર્ષે 12300 કરોડ રૂપિયાનો વધારો બોજો પડશે. 

2400 રૂપિયે કિલો સુધી વેચાય છે આ બોર જેવડો દાણો, આ રીતે ખેતી કરો બનો 'ધનવાન ખેડૂત'
2029 છોડો 2027માં યોગી ઘરભેગા થઈ જશે? ભાજપ માટે ખતરાની ઘંટડી!
આ લખ્યું પોસ્ટમાં

સીએમ ભજનલાલ શર્માએ એક્સ પોસ્ટમાં લખ્યું- 'ખેડૂતને ટેકો! મુખ્યમંત્રી ભજનલાલ શર્મા જનતાને કરેલા વાયદાનો પુરો કરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે. એવામાં ખેડૂતોને ટેકો આપવા માટે રાજ્યમાં સન્માન નિધિની રકમ 2000 રૂપિયા વધારીને 8 હજાર રૂપિયા કરી દીધી છે. 

કંપનીને મળ્યો TATA પાસેથી મોટો ઓર્ડર, શેર ખરીદવા લાગી હોડ, ₹25 પર આવ્યો ભાવ
Top 5 Stocks: 15 દિવસમાં બેડો પાર કરાવી દેશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ

તમને જણાવી દઈએ કે કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ભારતના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. 2023માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે તેના ઢંઢેરામાં કિસાન સન્માન નિધિ વધારવાનું વચન પણ આપ્યું હતું. ખેડૂતોને વચન તરીકે, એવું કહેવામાં આવ્યું હતું કે કિસાન સન્માન નિધિ દર વર્ષે વધારીને 12,000 રૂપિયા કરવામાં આવશે. હાલમાં સરકારે તેમાં 2000 રૂપિયાનો વધારો કર્યો છે. આ 2 હજાર રૂપિયા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રાજસ્થાનના લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલ
Saturday: શનિવારે કરેણના ફૂલથી કર્યો આ ઉપાય, પલટાઇ જશે કિસ્મત, શરૂ થશે અચ્છે દિન
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More