Home> Agriculture
Advertisement
Prev
Next

આ ફૂલ છે પૈસા છાપવાનું મશીન, માત્ર એક એકરમાં ખેતી કરી બની શકો છો કરોડપતિ

ભારતમાં ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરતા હોય છે. આજકાલ પરંપરાગત ખેતી છોડી અનેક નવી વસ્તુની ખેતી પણ કરવામાં આવી રહી છે. જો તમે પણ ફૂલોની ખેતી કરતા હોવ તો ઓર્કિડના ફૂલનું ઉત્પાદન કરી શકો છો. આ ફૂલની બજારમાં માંગ ખુબ રહે છે અને કિંમત પણ સારી મળે છે. 

આ ફૂલ છે પૈસા છાપવાનું મશીન, માત્ર એક એકરમાં ખેતી કરી બની શકો છો કરોડપતિ

Agriculture News: ઓર્કિડના ફૂલની માંગ માત્ર દેશ જ નહીં વિદેશમાં પણ ખુબ છે. લગ્ન હોય કે અન્ય કોઈ કાર્યક્રમમાં શણગાર માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બનેલી વસ્તુ પણ માર્કેટમાં ઊંચા ભાવે વેચાઈ છે. 

fallbacks

ઓર્કિડની ખેતીથી બની શકો છો કરોડપતિ
માત્ર આ ફૂલોની માંગ જ વધુ નથી પરંતુ તેની કિંમત પણ વધુ રહે છે. માત્ર એક એકર જમીન પર ખેડૂત ઓર્કિડની ખેતી શરૂ કરે તો પણ તે કરોડપતિ બની શકે છે. 

ઓર્કિડના ફૂલ દેખાવમાં અતિ સુંદર હોય છે, તે ઓર્કિડેસી પરિવારમાં સામેલ છે, જેની દુનિયાભરમાં 700થી વધુ જાત છે. તેનો ઉપયોગ ઘણા પ્રકારે કરવામાં આવે છે. આ ફૂલોથી હર્બલ દવાઓ, સૌંદર્ય પ્રસાધન ઉત્પાદ, વેનિલા વગેરે બનાવવામાં કરવામાં આવે છે. આ ફૂલનું સૌથી વધુ ઉત્પાદન થાયલેન્ડમાં થાય છે. ખેડૂતો આ ફૂલની ખેતી કરી મોટી કમાણી કરી શકે છે. 

ઓર્કિડની ખેતી માટે આ વાતનું રાખો ધ્યાન
આ ફૂલોની ખેતી કરવા માટે તમારે સુરક્ષિત વાતાવરણની જરૂર પડે છે. આ માટે ગ્રીન નેટ દ્વારા શેડ હાઉસ બનાવવું જોઈએ. શેડમાં લગભગ 20 થી 30 સેન્ટિમીટરના છિદ્રો બનાવો, જેથી વેન્ટિલેશન સારું રહે.

- આ સિવાય શેડ હાઉસ પણ બનાવી શકાય છે.

- શેડ તૈયાર થયા બાદ હવે પ્લાન્ટ્સ માટે બેન્ચ ગોઠવવા માટે કોંક્રીટના થાંભલાઓ બનાવવામાં આવ્યા છે. જેની ઉંચાઈ 60 સેન્ટિમીટર અને જાડાઈ 1.5×1.5 ઈંચ હોવી જોઈએ. આ થાંભલાઓ વચ્ચે સ્ટીલની પાઈપ/પાણીની પાઈપ/કોંક્રીટ બીમ મુકો, બે થાંભલાઓ વચ્ચે ઓછામાં ઓછું 80 સે.મી.નું અંતર રાખો.

- આ ફૂલોની ખેતી માટે 18 થી 28 ડિગ્રી વચ્ચેનું તાપમાન સારું માનવામાં આવે છે. ઉપરાંત, શેડની અંદર ભેજ 70 થી 80 ટકા હોવો જોઈએ.

- જો તમે એક એકર જમીન પર ઓર્કિડની ખેતી કરતા હોવ તો લગભગ 45,000 ઓર્કિડ લાગી શકે છે.

- ખેતી માટે બજારમાંથી છોડ ખરીદી શકાય છે. જેને પ્રચારિત કરી લગાવી શકાય છે.

- આ ફૂલો જમીનમાં ઉગતા નથી, તેથી તમારે ઇંટો, ટાઇલ્સના તૂટેલા ટુકડાઓ, કોલસો અને નાળિયેરની ભૂકીમાંથી માધ્યમ બનાવવું પડશે.

- છોડ રોપવા માટે માત્ર 25 સે.મી.ના નાના કન્ટેનરનો ઉપયોગ કરો.

- ઓર્કિડ પોટીંગ મિક્સનો ઉપયોગ કરવો જોઈએ.

- સામાન્ય તાપમાનનું પાણી આપવું જોઈએ. સિંચાઈ માટે ઓવરહેડ સ્પ્રિંકલરનો ઉપયોગ કરી શકાય છે.

- વાવણીના ઓછામાં ઓછા ત્રીસ દિવસ પછી ખાતર આપવું.

- જીવાતો અને રોગોની ઓળખ કરવી અને યોગ્ય સમયે તેનું સંચાલન કરવું મહત્વપૂર્ણ છે.

- દિવસ દરમિયાન ક્યારેય પાકની કાપણી કરશો નહીં. જ્યારે ફૂલો સંપૂર્ણપણે ખુલ્લા હોય ત્યારે જ સાંજે કાપણી કરવી જોઈએ.

- ફૂલોને કાપ્યા પછી તરત જ તેને પાણીની નળીમાં નાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More