MSP Hike for Kharif crops 2025-26 : 28 મે 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26ની ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કર્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળની આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ દ્વારા 14 પાકોના MSPને મંજૂરી આપવામાં આવી છે. સરકારે કઠોળ, તેલીબિયાં અને કપાસના પાક પરના ખર્ચ કરતાં 50% વધુ MSPને મંજૂરી આપી છે.
સરકારે ઉત્પાદકોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ સુનિશ્ચિત કરવા માટે ખરીફ પાકોના MSPમાં વધારો કર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં MSPમાં સૌથી વધુ વધારો રામતલ અથવા 'કાળા તલ' (820 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) માટે કરવામાં આવ્યો છે, ત્યારબાદ રાગી (596 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ), કપાસ (589 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) અને તલ (579 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) માટે કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળે 2025-26ની ખરીફ સિઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં 69 રૂપિયાનો વધારો કરીને 2,369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી. તેનો ખર્ચ 2 લાખ 7 હજાર કરોડ રૂપિયા થશે. માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 'છેલ્લા 10-11 વર્ષમાં ખરીફ પાક માટે MSPમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. દરેક પાક માટે ખર્ચના 50% ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
#WATCH केंद्रीय मंत्री अश्विनी वैष्णव ने कहा, "...किसानों के लिए एक बड़ा फैसला लिया गया है। पिछले 10-11 वर्षों में खरीफ फसलों के लिए MSP में भारी वृद्धि की गई है। इसी कड़ी में खरीफ विपणन सत्र 2025-26 के लिए MSP को कैबिनेट द्वारा अनुमोदित किया गया है। कुल राशि लगभग 2,07,000 करोड़… pic.twitter.com/1AYFqfHyT7
— ANI_HindiNews (@AHindinews) May 28, 2025
વધુમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ખેડૂતો માટે વ્યાજ માફી જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો ખર્ચ 15,642 કરોડ રૂપિયા થશે. તેમણે કહ્યું કે, "કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) પર 2 લાખ રૂપિયા સુધીની લોન 4 ટકા વ્યાજે આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેશમાં 7.75 કરોડથી વધુ કિસાન ક્રેડિટ કાર્ડ ખાતા છે. આનાથી હવે નાના અને સીમાંત ખેડૂતોને મોટા પાયે ફાયદો થશે."
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, "કેન્દ્રીય મંત્રીમંડળે વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી છે. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે કિસાન ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું હતું. આનાથી ખેડૂતો માટે તેમના કામ માટે લોન લેવાનું ખૂબ જ સરળ બન્યું છે. આ યોજનામાં ખેડૂતોને 4 ટકા વ્યાજે 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની કાળજી લેવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે