Home> Budget 2023
Advertisement
Prev
Next

મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 7 લાખ સુધી ટેક્સ નહી, અહીં સમજો ટેક્સનું ગણિત

કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે સાત લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતી.

મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, 7 લાખ સુધી ટેક્સ નહી, અહીં સમજો ટેક્સનું ગણિત

Union Budget 2023: કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
fallbacks

fallbacks

હાલનો ટેક્સ સ્લેબ
નવી ઇનકમ ટેક્સ વ્યવસ્થામાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 2.50 થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે, જેમાં 87A હેઠળ રિબેટની જોગવાઈ છે. 5 થી 7.50 લાખની આવક પર 10 ટકા, 7.50 થી 10 લાખની આવક પર 15 ટકા, 10 થી 12.50 લાખની આવક પર 20 ટકા, 12.5 થી 15 લાખ અને 15 લાખથી વધુની આવક પર 25 ટકા. આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More