Home> Business
Advertisement
Prev
Next

દેશભરમાં 2થી 3 દિવસ સુધી બંધ રહેશે ATM? PIB એ કરોડો લોકોને જણાવ્યું સત્ય

ATM Close or Not: આ દિવસોમાં સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ઘણા પ્રકારના મેસેજ વાયરલ થઈ રહ્યાં છે. પરંતુ તે બધા સાચા હોતા નથી. હવે એટીએમ બંધ રહેવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જાણો શું છે તેનું સત્ય? 

દેશભરમાં 2થી 3 દિવસ સુધી બંધ રહેશે ATM? PIB એ કરોડો લોકોને જણાવ્યું સત્ય

PIB Fact Check: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવ વચ્ચે વોટ્સએપ પર દેશભરના એટીએમ બેથી ત્રણ દિવસ બંધ રહેવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જો તમારી પાસે પણ આવો મેસેજ આવ્યો છે તો પરેશાન થવાની જરૂર નથી. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) એ આ વાયરલ વોટ્સએપ મેસેજને ખોટો ગણાવ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશભરના એટીએમ 2-3 દિવસ માટે બંધ રહેશે.

fallbacks

ભારત-પાક યુદ્ધ Live

એટીએમ હંમેશાની જેમ કામ કરતા રહેશે
પીઆઈબી તરફથી પોતાની પોસ્ટમાં કહેવામાં આવ્યું કે આ મેસેજ ખોટો છે અને એટીએમ હંમેશાની જેમ કામ કરતા રહેશે. આ મેસેજ વાંચ્યા બાદ ઘણા લોકો ચિંતામાં આવી ગયા હતા. આ સાથે પીઆઈબીએ લોકોને અપીલ કરી છે કે આવી ખોટી જાણકારી પર ધ્યાન ન આપો અને તેને ફોરવર્ડ ન કરો.

લોકોમાં બિનજરૂરી ડર ખતમ કરવાનો ઈરાદો
PIB એ પોતાના ફેક્ટ ચેક હેન્ડલ  (@PIBFactCheck) થી પોસ્ટ કરી, 'એક વાયરલ વોટ્સએપ મેસેજ દાવો કરે છે કે એટીએમ 2-3 દિવસ સુધી બંધ રહેશે. આ મેસેજ ખોટો છે. એટીએમ સામાન્ય રૂપથી કામ કરશે. ખાતરી કર્યા વગર કોઈ મેસેજ શેર ન કરો. સરકાર તરફથી લોકોમાં ડર ન ફેલાય તે માટે સ્પષ્ટતા કરવામાં આવી છે.'

સોશિયલ મીડિયા પર ખોટા સમાચારોનો ખતરો
PIB તરફથી પહેલા પણ અનેકવાર લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતા ખોટા સમાચારથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. તેણે કહ્યું કે સાચી જાણકારી માટે માત્ર સત્તાવાર પ્લેટફોર્મ પર વિશ્વાસ કરો. વોટ્સએપ પર નકલી મેસેજની સમસ્યા લાંબા સમયથી ફેલાયેલી છે. આવા મેસેજથી લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા થાય છે.

સાવચેતી રાખવાની સલાહ
પીઆઈબી તરફથી લોકોને સલાહ આપવામાં આવી છે કે આવા મેસેજ પર વિશ્વાસ કરતા કે આગળ મોકલતા પહેલા તેની સત્યતા તપાસી લો. જો કોઈ સમાચાર શંકાસ્પદ લાગે છે તો પહેલા સત્તાવાર પ્લેટફોર્મ પર તેની ખાતરી કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More