Home> Business
Advertisement
Prev
Next

Income Tax Slab: નોકરીયાતો નિરાશ પણ... જુલાઇમાં મળી શકે છે GOOD NEWS

Budget New Tax Rate: નાણા મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે અમે પરંપરાઓનું પાલન કરી રહ્યા છીએ અને ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી બાદ જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં સરકાર દ્વારા આવકવેરામાં રાહત આપવામાં આવી શકે છે.

Income Tax Slab: નોકરીયાતો નિરાશ પણ... જુલાઇમાં મળી શકે છે GOOD NEWS

New Tax Slab 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમણે આવકવેરાના દરમાં કોઈ ફેરફાર ન કરીને કરોડો પગારદાર વર્ગને નિરાશ કર્યા છે. તેઓએ જૂના ટેક્સ રેટ જાળવી રાખ્યા છે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે અમે પરંપરાઓનું પાલન કરી રહ્યા છીએ અને ટેક્સના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી બાદ જુલાઈમાં રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં સરકાર આવકવેરામાં રાહત આપી શકે છે.

fallbacks

Budget 2024: રૂફટોપ સોલાર પ્લાન અંતગર્ત 1 કરોડ ઘરોને દર મહિને 300 યૂનિટ ફ્રી વિજળી
Budget 2024: મિડલ ક્લાસ માટે ખુશખબરી, નાણામંત્રીએ કરી હાઉસિંગ સ્કીમની જાહેરાત

જૂની ટેક્સ વ્યવસ્થામાં રૂ. 5 લાખ સુધીની છૂટ
નિષ્ણાંતો પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે લોકસભાની ચૂંટણી બાદ નવી સરકારની રચના થયા બાદ આવકવેરામાં મુક્તિ અંગેની જાહેરાત કરવામાં આવી શકે છે. વચગાળાના બજેટની રજૂઆત પહેલા કરોડો કરદાતાઓને આશા હતી કે સરકાર નવી કર વ્યવસ્થાની સાથે જૂની કર વ્યવસ્થામાં ફેરફાર કરશે. આ સાથે, નોકરી કરનાર વ્યક્તિ વધુ પૈસા કમાઈ શકશે. પરંતુ બજેટ ભાષણમાં આવી કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી. હાલમાં, જૂની કર વ્યવસ્થા હેઠળ, 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર કોઈ આવકવેરો ચૂકવવો પડતો નથી. નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે.

વચગાળાના બજેટમાં આ 4 જાતિઓના વિકાસ પર કરવામાં આવ્યું ફોકસ, નાણામંત્રીએ કરી જાહેરાત

નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે નવી ટેક્સ વ્યવસ્થામાં 7 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નાણામંત્રીએ કહ્યું કે દરેકને કાયમી ઘર આપવામાં આવશે. સ્કિલ ઈન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. માછલીનું ઉત્પાદન બમણું થયું છે. પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે.

બજેટ પહેલાં સસ્તું થયું સોના-ચાંદી, ખરીદવાનું વિચારતા હોવ તો જાણી લો ભાવ
શું નોકરિયાતોને આજે ગિફ્ટ આપશે FM, નવી કે જૂની કઇ ટેક્સ વ્યવસ્થા માટે ખુલશે પટારો?

યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવશે. ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે.

1973માં રજૂ કરવામાં આવ્યું હતું બ્લેક બજેટ? દેશમાં હતું આર્થિક સંકટ, જાણો અજાણી વાતો
બજેટ પહેલાં બજારમાં જોવા મળશે એક્શન, આ 5 શેર ખરીદી લો, 1 વર્ષમાં થઇ જશો માલામાલ

આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય'
નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં આગળ વધી રહી છે. અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ બે કરોડ મકાનો બનાવવામાં આવશે.

Income Tax બચાવવો હોય તો અપનાવો આ ટિપ્સ, એકપણ રૂપિયાનો ભરવો નહી પડે ટેક્સ
Bank Holiday List: ફેબ્રુઆરીમાં 18 દિવસ જ બેંકો કરશે કામ, ઢગલાબંધ આવે છે રજાઓ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More