Home> Business
Advertisement
Prev
Next

હવાઈ ​​મુસાફરો માટે સારા સમાચાર, ઘરેલું એરલાઇન્સને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની છૂટ


બુધવારે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ઘરેલું ઉડાનો 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ થઈ જે હવે 8 નવેમ્બર 2020ના 2.06 લાખ પર પહોંચી ગયા છે. 
 

હવાઈ ​​મુસાફરો માટે સારા સમાચાર, ઘરેલું એરલાઇન્સને 70 ટકા ક્ષમતા સાથે ઉડાન ભરવાની છૂટ

નવી દિલ્હીઃ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત થનારી ઘરેલું ઉડાનોની સંખ્યાની કોવિડ-19 પૂર્વે 60 ટકાથી વધારીને 70 ટકા કરવામાં આવી છે. કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ જાણકારી આપી છે. મંત્રાલયે જણાવ્યું કે, બે સપ્ટેમ્બરે કહ્યુ હતું કે, હાલના કોરોના વાયરસ મહામારીને કારણે ભારતીય એરલાઇન્ટ વધુમાં વધુ કોરોના પૂર્વના ઘરેલું યાત્રી ઉડાનોના 60 ટકાનું સંચાલન કરી શકતી હતી. 29 ઓક્ટોબરે તે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે 60 ટકાની મર્યાદા 24 ફેબ્રુઆરી 2021 કે આગામી આદેશ સુધી રહેશે. 

fallbacks

બુધવારે કેન્દ્રીય મંત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે ઘરેલું ઉડાનો 25 મેએ 30 હજાર યાત્રીકોની સાથે શરૂ થઈ જે હવે 8 નવેમ્બર 2020ના 2.06 લાખ પર પહોંચી ગયા છે. આ સાથે તેમણે કહ્યું કે, મંત્રાલય હવે ઘરેલું ઉડાનોની સંખ્યા 60 ટકાથી વધારીને 70 ટકા કરી દેવામાં આવી છે. 

ઘણા દેશોમાં પ્રતિબંધ હટ્યા બાદ ઉડાનો શરૂ કરવાની યોજના
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ વિદેશી ઉડાનો વિશે જણાવ્યુ હતુ કે કેટલાક દેશોએ અત્યાર સુધી ભારતીયોના પ્રવેશ પર પ્રતિબંધ હટાવ્યો નથી અને કેન્દ્ર સરકાર આ દેશો દ્વારા પ્રતિબંધ હટાવ્યા બાદ ઉડાન સેવા શરૂ કરવા માટે તૈયાર છે. પ્રતિબંધ લગાવનાર દેશોમાં સાઉદી અરબ પણ સામલે છે જેણે કોરોના સંક્રમણ મહામારીને કારણે વિમાન કંપનીોને ભારતથી યાત્રીકોને લાવવાની મંજૂરી આપી નથી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More