Home> Business
Advertisement
Prev
Next

Ganesh Chaturthi 2022: દેશના ગમે તે ખૂણે 'લાલબાગના રાજા'નો પ્રસાદ હવે ઘરે બેઠા મેળવી શકશો, ખાસ જાણો વિગતો

લાલબાગના રાજા મુંબઈના સૌથી ચર્ચિત અને મોસ્ટ પોપ્યુલર ગણપતિ પંડાલમાંથી એક છે. અનેક લોકો લાલબાગના રાજાના દર્શન પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. જેના કારણે તેઓ બાપ્પાના પ્રસાદથી વંચિત રહી જાય છે. પરંતુ આ વર્ષે બાપ્પાના ભક્તો માટે અલગથી એક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રસાદ ઓનલાઈન રીતે ઓર્ડર કરી શકાશે. તેની ડોરસ્ટેપ ડિલિવરી પણ કરવામાં આવશે. 

Ganesh Chaturthi 2022: દેશના ગમે તે ખૂણે 'લાલબાગના રાજા'નો પ્રસાદ હવે ઘરે બેઠા મેળવી શકશો, ખાસ જાણો વિગતો

Ganesh Chaturthi 2022: આજથી દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે. જે 10 દિવસ સુધી ચાલશે. જ્યારે જ્યારે ગણેશોત્સવની વાત થાય ત્યારે મુંબઈના લાલબાગના રાજાનો ઉલ્લેખ તો અવશ્ય થાય. લાલબાગના રાજા મુંબઈના સૌથી ચર્ચિત અને મોસ્ટ પોપ્યુલર ગણપતિ પંડાલમાંથી એક છે. અહીં બોલીવુડથી લઈને દરેક ક્ષેત્રની મોટી મોટી હસ્તીઓ ગણપતિ બાપ્પાના દર્શન માટે આવે છે. અત્રે જણાવવાનું ભાદરવા સુદ ચોથની તિથિ ગણેશ ચતુર્થી તરીકે ઉજવાય છે. 

fallbacks

લાલબાગના રાજાના પ્રસાદ માટે સુવિધા
અનેક લોકો લાલબાગના રાજાના દર્શન પ્રત્યક્ષ રીતે કરી શકતા નથી. જેના કારણે તેઓ બાપ્પાના પ્રસાદથી વંચિત રહી જાય છે. પરંતુ આ વર્ષે બાપ્પાના ભક્તો માટે અલગથી એક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પ્રસાદ ઓનલાઈન રીતે ઓર્ડર કરી શકાશે. તેની ડોરસ્ટેપ ડિલિવરી પણ કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે લાલાબાગના રાજાનો પ્રસાદ ઘરે ઘરે પહોંચાડવા માટે જિયોમાર્ટ અને પેટીએમનો સહારો લેવામાં આવ્યો છે.  જો ભક્ત જિયોમાર્ટ દ્વારા પ્રસાદની હોમ ડિલિવરી લેવા માંગતા હોય તો તેઓ સરળતાથી કરી શકે છે. મુંબઈ, થાણા, અને નવી મુંબઈના લોકો જિયોમાર્ટ દ્વારા બાપ્પાનો પ્રસાદ પોતાના ઘરે મંગાવી શકે છે. જેમાં પ્રસાદ તરીકે બે લાડુ આપવામાં આવશે. 

પેટીએમ કરશે દેશભરમાં ડિલિવરી
જો તમે પેટીએમ દ્વારા લાલબાગના રાજાનો પ્રસાદ મંગાવશો તો તમને 250 ગ્રામ ડ્રાઈ ફ્રૂટ્સ પ્રસાદ તરીકે મળશે. દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે આ ઓર્ડર કરી શકો છો. લાલબાગના રાજાની અધિકૃત વેબસાઈટ પર તમે તેની પ્રોસેસ જાણી શકો છો અને બાપ્પાનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકો છો. 

હોમ ડિલિવરી મફત
લાલાબાગના રાજાની વેબસાઈટ મુજબ બાપ્પાના પ્રસાદની હોમ ડિલિવરી એકદમ મફત છે અને તેના માટે કોઈ મિનિમમ ઓર્ડર લિમિટ પણ રાખવામાં આવી નથી. પ્રસાદની આ ડિલિવરી એક સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. 2 બુંદીના લાડુની કિંમત 51 રૂપિયા જણાવવામાં આવી છે. જેમાં તમામ ટેક્સ પણ સામેલ છે. જો કે તેની ડિલિવરી  ફક્ત મુંબઈ, નવી મુંબઈ અને થાણામાં થશે. 

અહીંથી પણ પ્રસાદ મેળવી શકો
જો તમે ગણેશોત્સવ દરમિયાન લાલબાગના રાજાનો પ્રસાદ ઓર્ડર કરવા માંગતા હોવ અને તમારા ઘરે તે પ્રસાદ મેળવવા ઈચ્છતા હોવ તો તમે આ ડાઈરેક્ટ લિંક પર  https://lalbaugcharaja.com/en/online-prasad/ સીધી ક્લિક કરી શકો છો. અહીંથી તમને બુંદીના લાડુ અને ડ્રાઈ ફ્રૂટ્સને ઓર્ડર કરવાનું ઓપ્શન મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More