Home> Business
Advertisement
Prev
Next

ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા માટે મોદી સરકારે આપી મોટી ખુશખબરી

નવા ઇન્કમ ટેક્સ ફોર્મને એપ્રિલમાં શરૂ જાહેર કરવામાં આવ્યું હતું. એવા ઇન્કમ ટેક્સ પેયર્સ જેમના ખાતાનું ઓડિટ કરવાનું નથી, તેમનો પોતાનું ઇ-ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સુધી ભરવાનું હતું. 

ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા માટે મોદી સરકારે આપી મોટી ખુશખબરી

નવી દિલ્હી: સરકારે વ્યક્તિગત અને ઓડિટની અનિવાર્યતાના નિયમના દાયરમાં ન આવનાર ઇન્કમ ટેક્સ પેયર્સ માટે નાણાકીય વર્ષ 2018-19ના રિટર્ન ફાઇલ કરવાની તારીખ એક મહિનો વધારીને 31 ઓગસ્ટ કરી દેવામાં આવી છે. નવા ઇન્કમ ટેક્સ ફોર્મને એપ્રિલમાં શરૂ જાહેર કરવામાં આવ્યું હતું. એવા ઇન્કમ ટેક્સ પેયર્સ જેમના ખાતાનું ઓડિટ કરવાનું નથી, તેમનો પોતાનું ઇ-ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સુધી ભરવાનું હતું. 

fallbacks

નાણામંત્રાલયે નિવેદનમાં કહ્યું કે 'આ મામલે વિચાર બાદ કેંદ્રીય પ્રત્યક્ષ ટેક્સ બોર્ડ (સીબીડીટી)એ આ શ્રેણીના ટેક્સપેયર્સ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઇથી વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. દિલ્હીના ચાર્ટર્ડ એકાઉંટેંટ આરકે ગૌડે કહ્યું હતું કે અ નિર્ણયથી વ્યક્તિગત, પગારદાર અને ઓડિટની અનિવાર્યતામાં ન આવનાર વેપારીઓને સુવિધા થશે. 

આ દરમિયાન નાણામંત્રી પીયૂષ ગોયલે ટ્વિટ કરી નાગરિકોને આગળ વધારવામાં આવેલી તારીખ સુધી પોતાના ટેક્સની ચૂકવણી કરવાને અપીલ કરવામાં આવી છે. ગોયલે કહ્યું કે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ એક મહિના સુધી વધારવામાં આવી છે. હું ટેક્સ પેયર્સને અપીલ કરું છું કે તે નિર્ધારિત તારીખ સુધી પોતાનો ટેક્સ જમા કરાવી દે. 

નાંગિયા એડવાઇઝર્સ એલએલપીના પાર્ટનર સૂરજ નાંગિયાએ કહ્યું કે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવાની તારીખ વધારી ઇન્કમ ટેક્સ વિભાગે ટેક્સ પેયર્સ સમક્ષ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવામાં આવી રહેલી કાનૂની, ટેક્નિકલ અને વ્યવહારિક સમસ્યાઓને દૂર કરવાનો પ્રયત્ન છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More