Tata Sons Annual Report:જેમણે ખેતરોમાં કામ કરવાથી માંડીને દેશના સૌથી મોટા વેપારી જૂથ ટાટા સન્સના ચેરમેન બનવા સુધીની જવાબદારીઓ નિભાવી છે. એન ચંન્દ્ર શેખરનના શરૂઆતના દિવસોમાં સંઘર્ષ ઓછો નહોતો. પરંતુ પોતાની મહેનતના બળે તે આજે જે સ્થાને પહોંચ્યા છે તેમાંથી લોકોએ ઘણું શીખવાની જરૂર છે. જ્યારથી તેમણે ટાટા ગ્રૂપનો હવાલો સંભાળ્યો છે ત્યારથી તેમના નેતૃત્વમાં જૂથ સતત પ્રગતિ કરી રહ્યું છે. તેથી જ રતન ટાટા પણ તેમના પર પૂરો વિશ્વાસ કરે છે. રતન ટાટાના જમણા હાથ કહેવાતા એન ચંદ્રશેખરનની સેલેરીમાં નાણાકીય વર્ષ 2024 દરમિયાન 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
વાર્ષિક પેકેજ વધીને રૂ. 135.32 કરોડ
આ સાથે ટાટા સન્સના ચેરમેનનું વાર્ષિક પેકેજ વધીને 135.32 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ પેકેજમાં 121.5 કરોડ રૂપિયાનું કમિશન સામેલ છે. આ સાથે 61 વર્ષના એન ચંદ્રશેખરન દેશના સૌથી વધુ કમાણી કરનારા લોકોમાંથી એક બની ગયા છે. ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સે એન ચંદ્ર શેખરનના નેતૃત્વ હેઠળ નાણાકીય વર્ષ 2023-24માં ચોખ્ખા નફામાં 74 ટકાનો વધારો નોંધાવ્યો છે. 6 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા ફર્મના 106મા વાર્ષિક અહેવાલ મુજબ તે રૂ. 49,000 કરોડ છે.
એન ચંદ્રશેખરન એવા થોડા લોકોમાંથી એક છે જેઓ શૂન્યથી તેમની સફર શરૂ કરીને આ સ્થાને પહોંચ્યા છે. 'વર્કિંગઃ વોટ વી ડુ ઓલ ડે' નામની ડોક્યુમેન્ટ્રીમાં તેમણે પોતાના વિશે કેટલીક વાતો જણાવી હતી. આમાં તેમણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે વાત કરી હતી. તેમની સાથેની વાતચીત દરમિયાન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે તેઓ બાળપણમાં ગામમાં રહેતા હતા અને ખેતીકામ કરીને પરિવાર સાથે ગુજરાન ચલાવતા હતા. અહીંથી, તેમની મહેનતના આધારે તેઓ એક મોટા કોર્પોરેટ જૂથના લીડર બન્યા છે.
121.5 કરોડ કમિશન તરીકે આ પેકેજમાં સામેલ
કમિશન અને પગારના સંદર્ભમાં, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનનું પેકેજ FY24માં 20 ટકા વધીને રૂ. 135.32 કરોડ થયું છે. જેમાં કમિશન તરીકે 121.5 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. ચંદ્રશેખરન વર્ષ 2016માં બોર્ડમાં જોડાયા હતા. ટાટા સન્સના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર સૌરભ અગ્રવાલે કુલ રૂ. 30.35 કરોડનું કમ્પનસેશન લીધું હતું. તેમાંથી 24 કરોડ રૂપિયા કમિશન તરીકે આપવામાં આવ્યા હતા.
એરલાઇન્સની વૃદ્ધિ ફળી ગઈ
એર ઈન્ડિયા, વિસ્તારા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ જેવી એરલાઈન્સે ગ્રુપના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં રૂ. 15,414 કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 2024માં આ ક્ષેત્રની કુલ ખોટ ઘટીને રૂ. 6,337 કરોડ થઈ છે. એર ઈન્ડિયાનું ખાનગીકરણ 2022માં થયું હતું. આ પછી એરલાઈને તેની ક્ષમતામાં વધારો કર્યો અને તેની અત્યાર સુધીમાં 51,365 કરોડ રૂપિયાની રેકોર્ડ આવક નોંધાવી. આ આવક પાછલા નાણાકીય વર્ષ કરતાં 24.5 ટકા વધુ હતી.
રોકાણકારોને જબરદસ્ત થયો ફાયદો
રૂ. 49,000 કરોડના કુલ નફામાંથી શેરધારકોને ફાળવવામાં આવેલો હિસ્સો 34,625 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2023માં નોંધાયેલા રૂ. 16,847.79 કરોડ કરતાં બમણો છે. રિપોર્ટ અનુસાર, કંપનીની કુલ આવક 14.64 ટકા વધીને 4.76 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક અહેવાલ મુજબ કંપનીના પ્રદર્શનના આધારે, જૂથે રૂ. 35,000નું ડિવિડન્ડ આપ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. નાણાકીય વર્ષ 2023 માટે 17,500 રૂપિયા ડિવિડન્ડ તરીકે આપવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2024 ના અંતે જૂથનું માર્કેટ કેપ રૂ. 30.37 લાખ કરોડ હતું. જે ગયા નાણાકીય વર્ષના રૂ. 20.71 લાખ કરોડ કરતાં 47 ટકા વધુ છે.
એન ચંદ્રશેખરનનું નોર્મલ રહ્યું છે જીવન
એન ચંદ્રશેખરનનો જન્મ 1963માં તામિલનાડુના મોહનુરમાં (Mohanur) થયો હતો. તેના માતા-પિતા વ્યવસાયે ખેડૂત હતા. તેણે પોતાનું પ્રારંભિક શિક્ષણ સરકારી શાળામાં કર્યું. તેમણે કોઈમ્બતુર ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી તેમણે તિરુચિરાપલ્લીની રિજનલ એન્જિનિયરિંગ કોલેજમાંથી એમસીએ કર્યું. 1987 માં તેમણે TCSમાં ઇન્ટર્ન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 2007માં તેમને કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) બનાવવામાં આવ્યા હતા. બે વર્ષ પછી, તેઓ TCSના CEO બન્યા. વર્ષ 2016માં તેમને કંપનીના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા. આજે તેઓ રતન ટાટાના રાઈડ હેન્ડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે