Home> Business
Advertisement
Prev
Next

તમે પણ તમારી દીકરી કે પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવા ખોલાવી શકો છો MSSC ખાતુ, જાણો તેના લાભ વિશે

Mahila Samman Savings Certificate 2023: જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ 26 એપ્રિલે તેમનું MSSC ખાતું ખોલાવ્યું, ત્યારથી આ યોજનાની ચર્ચા ઘણી વધી ગઈ છે. જો તમે પણ આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવાની તૈયારી કરી રહ્યા છો, તો અહીં જાણો આ સ્કીમ સાથે જોડાયેલી દરેક મહત્વની વાત.

તમે પણ તમારી દીકરી કે પત્નીના ભવિષ્યને સુરક્ષિત કરવા ખોલાવી શકો છો MSSC ખાતુ, જાણો તેના લાભ વિશે

Mahila Samman Savings Certificate 2023: મહિલા સન્માન બચત પત્ર યોજના 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે  બજેટ દરમિયાન કરી હતી. આ એક ડિપોઝિટ સ્કીમ છે જે ખાસ કરીને મહિલાઓ માટે વધુ સારા વ્યાજ દરો સાથે શરૂ કરવામાં આવી છે. 26 એપ્રિલે જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આ સ્કીમ હેઠળ પોતાનું ખાતું ખોલાવવા માટે પાર્લામેન્ટ સ્ટ્રીટ પરની પોસ્ટ ઓફિસમાં લાઈનમાં ઊભા હતા, ત્યારથી MSSC વિશે ચર્ચા ઘણી વધી ગઈ છે. ખાતું ખોલાવ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ પણ Tweet કરીને યુવા છોકરીઓને આ નાની યોજનાનો લાભ લેવાની અપીલ કરી હતી. જો તમે પણ આ સ્કીમ હેઠળ ખાતું ખોલાવવાની તૈયારી કરી રહ્યા છો, તો અહીં જાણો આ સ્કીમ સાથે જોડાયેલી દરેક મહત્વની વાત.

fallbacks

મહિલાઓ કઈ ઉંમરે ખાતું ખોલાવી શકે છે?

મહિલા સન્માન બચત યોજના હેઠળ કોઈપણ મહિલા પોતાનું ખાતું ખોલાવી શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે તેમના માતાપિતા આ ખાતું ખોલાવી શકે છે. એટલે કે દરેક ઉંમરની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

આ પણ વાંચો:

ટ્રેનમાં ખરાબ ભોજન મળે કે સ્ટેશન પર MRPથી વધુ ભાવ લેવામાં આવે તો આ રીતે કરો ફરિયાદ

મુકેશ અંબાણી પાસે માત્ર એન્ટીલિયા જ નહીં આટલા છે ઘર, દરેકની કિંમત છે કરોડોમાં

Income Tax ને લઈ સરકારનું એલાન, રીટર્ન ફાઈલ કરતી વખતે ખોટી આવક બતાવી તો આવી બનશે...

યોજનાના ફાયદા શું છે?

મહિલા સન્માન બચત પત્ર યોજના મહિલાઓને બચત કરવા પ્રેરિત કરવાની યોજના છે. આ યોજનામાં મહિલાઓને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે. આ યોજના ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ આપે છે અને વ્યાજની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ યોજના દ્વારા મહિલાઓને જમા રકમ પર ઘણો નફો મળે છે.

ખાતું ક્યારે ખોલી શકાશે?

આ પોસ્ટ ઓફિસ સ્કીમ હાલમાં બે વર્ષ માટે માન્ય છે. આમાં 31 માર્ચ 2025 સુધી રોકાણ કરી શકાય છે. કોઈપણ મહિલા તેમાં 1000 રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.

તમે ખાતું કેવી રીતે ખોલાવી શકો?

MSSC ખાતું ખોલવા માટે, તમારે નજીકની પોસ્ટ ઓફિસ શાખાની મુલાકાત લેવી પડશે. અહીં તમારે એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ-1 ભરવાનું રહેશે. આ સાથે આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા કેવાયસી દસ્તાવેજો અને અન્ય જરૂરી દસ્તાવેજોની નકલો આપવાની રહેશે.

ઉપાડના નિયમો શું છે?

આ યોજના બે વર્ષમાં મેચ્યોર થાય છે. બે વર્ષ પછી તમને તમારી ડિપોઝિટ વ્યાજ સાથે પાછી મળે છે. પરંતુ જો તમને વચ્ચે પૈસાની જરૂર હોય, તો 1 વર્ષ પૂર્ણ થયા પછી તમે જમા કરેલા નાણાના 40% સુધી ઉપાડી શકો છો. એટલે કે, જો તમે 2 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો એક વર્ષ પછી તમે 80 હજાર રૂપિયા ઉપાડી શકો છો.

અકાળે બંધ થવાના નિયમો શું છે?

જો ખાતાધારક ગંભીર રીતે બીમાર પડે અથવા મૃત્યુ પામે તો મહિલા સન્માન બચત પત્ર યોજનાનું ખાતું ખાતું ખોલ્યાના છ મહિના પછી બંધ કરી શકાય છે. પરંતુ આ સ્થિતિમાં વ્યાજ દરમાં 2% ઘટાડો કરીને પૈસા પરત કરવામાં આવે છે. આ કિસ્સામાં, 5.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

શું આ યોજનામાં કર લાભો ઉપલબ્ધ છે?

પોસ્ટ ઓફિસની તમામ સ્કીમમાં ટેક્સ બેનિફિટ્સ આપવામાં આવે છે, પરંતુ આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ આપવા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More