Budget 2025: 18મી લોકસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદ, લોકસભા અને રાજ્યસભાના બન્ને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મધ્યમ વર્ગ ખાસ કરીને કરદાતાઓની અપેક્ષાઓ વધી ગઈ છે. મધ્યમ વર્ગને આવકવેરામાં રાહતની આશા જાગી છે. પીએમ મોદીએ વાતચીતમાં જે કહ્યું તેમાંથી મધ્યમ વર્ગ અને કરદાતાઓ બજેટમાં ટેક્સપેયર્સ માટે મુક્તિનો સંકેત સમજી રહ્યા છે.
શું કહ્યું પીએમ મોદીએ?
બજેટ સત્ર માટે સંસદ ભવન પહોંચેલા પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, માં લક્ષ્મીને વંદન કરું છું. આવા પ્રસંગો પર સદીઓથી આપણે અહીં માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માં લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર માં લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે. લોકો તેને ટેક્સ રાહત સાથે જોડી રહ્યા છે. આવકવેરામાં રાહત મળશે તો મધ્યમ વર્ગના ખિસ્સામાં વધુ પૈસા બચશે.
ફેબ્રુઆરીમાં 3 મોટા ગ્રહો કરવા જઈ રહ્યા છે ગોચર, આ 4 રાશિના જાતકો પૈસામાં ન્હાશે!
ઈનકમ ટેક્સમાં મુક્તિની માંગ
દેશના જીડીપી ગ્રોથમાં મંદીને જોતા વપરાશ વધારવા માટે આવકવેરામાં છૂટ આપવાની માંગ છે. આવી સ્થિતિમાં કરદાતાઓને નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં થોડી છૂટછાટ મળી શકે છે, જેથી વપરાશ વધે અને દેશની જીડીપી વૃદ્ધિને વેગ મળી શકે, જો લોકોના હાથમાં ડિસ્પોજેબલ ઈનકમ વધે છે તો વપરાશ પણ વધશે, જેનો ફાયદો અર્થતંત્રને થવાનો છે.
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન
ઈનકમમાં ઘટાડો થવાની સંભાવના
જો ઈકોનોમીના નિષ્ણાતોનું માનીએ તો સરકાર નવી ટેક્સ રિઝીમમાં કોઈપણ પ્રકારની છૂટ આપવાના પક્ષમાં નથી, જો કે, ટેક્સ મર્યાદા વધારીને અથવા ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને લોકોને રાહત આપી શકાય છે. અર્થશાસ્ત્રીઓએ નબળી માંગને ધ્યાનમાં રાખીને ટેક્સમાં રાહતની હિમાયત કરી છે. ગયા બજેટમાં જ્યાં નવા ટેક્સ પ્રણાલીમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 50 હજારથી વધારીને રૂ. 75,000 કરવામાં આવ્યું હતું, એ જ રીતે આ વખતે પણ લોકો ટેક્સ સ્લેબમાં ફેરફારની અપેક્ષા રાખી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રૂ. 1 લાખ કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે