નવી દિલ્હી: આવતા મહિને પાન કાર્ડ સંબંઘિત નિયમોમાં બદલાવ થવાના છે. આયકર વિભાગે પાનને લઇને નિયમોનો એક સેટ તૈયાર કર્યો છે. નવા નિયમ આગામી 5 ડિસેમ્બર 2018થી લાગૂ કરી દેવામાં આવશે. નવા નિયમ અનુસાર એવી નાણાંકીય સંસ્થાઓ જે ચાલુ નાણાંકીય વર્ષમાં 2.5 લાખ અથવા તેના કરતા વધારેનું લેણ-દેણ કરે છે. તેમની માટે પાન નંબર અનિવાર્ય થઇ જશે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ જણાવ્યું ગત સપ્તાહે તેમના એક અધિસુચનમાં કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ નાણાંકીય વર્ષમાં 2.50 લાખ રૂપિયા અથવા તો તેના કરતા વધારે રકમની લેણ-દેણ કરે છે.તો તેને 31 મે 2019 પહેલા આવેદન આપવું પડશે.
વધુમાં વાંચો...સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ દેશમાં બનશે અનેક પ્રતિમાઓ, પરંતુ સરતાજ બનશે શિવા સ્મારક
પાનમાં આવશે આ બદલાવ
કરદાતાઓ હજુ પણ ઓછા...
આશરે 1.35 અરબ જન સંખ્યા વાળા દેશમાં કરદાતાઓની સંખ્યા ખુબજ ઓછી છે. જ્યારે હાલના વર્ષમાં તેમાં થોડી તેજી જેવા મળી છે. ભારતમાં કર રિટર્ન ભરનારાઓની સંખ્યા 2014માં આશરે 3.80 કરોડ હતી. આ ગત વર્ષે એટલે 2017માં 6.86 કરોડ સુધી પહોંચી હતી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આંકડો આવતા વર્ષે 7.6 અથવા 7.5 સુધી પહોંચી શકે છે. સરકાર અનુસાર પ્રત્યક્ષ કરદાતાઓની સંખ્યામાં વધારો એ કાળાધન પર અંકુશનો શ્રેષ્ઠ ઉપાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે