PMJJBY & PMSBY Renual : જો તમે પણ મોટાભાગે તમારા બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ રાખો છો અથવા બેલેન્સ નથી રાખતા તો આ સમાચાર જરૂર વાંચી લો. આ સમાચાર વાંચવાથી અને અમલમાં મૂકવાથી 4 લાખ રૂપિયાનું નુકસાન બચી શકે છે. જી હાં, પહેલીવારમાં કદાચ તમને મજાક લાગશે પરંતુ આ બિલકુલ સાચી વાત છે. જોકે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના (PMSBY) ને રિન્યૂ કરાવવાની તારીખ આવી ગઇ છે.
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PMJJBY) માં કોઇપણ કારણથી મૃત્યું થનાર માટે કવરેજ આપવામાં આવે છે. 18 થી 50 વર્ષની ઉંમરના લોકો આ યોજના સાથે જોડાઇ શકે છે. 50 વર્ષથી ઉંમર પહેલાં તેમાં સામેલ અથવા પ્રીમિયમની ચૂકવણી કરતાં તમારા જીવનનું જોખમ 55 વર્ષની ઉંમર સુધી કવર થાય છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના(PMSBY) માં કોઇ દુર્ઘટનાના કારણે થનાર મૃત્યું અથવા દિવ્યાંગતા માટે કવરેજ આપવામાં આવે છે. આ યોજનામાં તમે 18 વર્ષથી માંડીને 70 વર્ષ ની ઉંમર સુધી જોડાઇ શકો છો. તેના અંતગર્ત દુર્ઘટનામાં મોત પર 2 લાખ રૂપિયા અને આંશિક દિવ્યાંગતા મામલે 1 લાખ રૂપિયાની જોગવાઇ છે. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે.
ઓટો ડેબિટ હશે પ્રીમિયમ
સરકારની આ યોજના હેઠળ તમારે 330 રૂપિયા પ્રતિ વર્ષના વાર્ષિક ચૂકવણે પર 2 લાખ રૂપિયાનો જીવન વિમા કવર પ્રાપ્ત કરી શકો છો. તેનું રજિસ્ટ્રેશન તમે બેંકની શાખા/બીસી પોઇન્ટ અથવા પોસ્ટ ઓફિસમાં જઇને કરી શકો છો. યોજનામાં પ્રીમીયમ તમારા એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થઇ જાય છે.
રિન્યૂ કરવાની અંતિમ તારીખ 31 મે
સરકાર આ બંને યોજનાઓને વાર્ષિકા આધારે રિન્યૂ કરવાની અંતિમ તારીખ 31 મે છે. જો તમારા એકાઉન્ટમાં બેલેન્સ નથી અને આ બંને યોજનાઓનું રિન્યૂઅલ નથી થયું તો થઇ શકે છે. તમને 4 લાખ રૂપિયાનો વિમો મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે