Home> Business
Advertisement
Prev
Next

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના વિશે ખુબ ઓછા લોકો જાણે છે, ગેરંટી વગર મળે છે લોન, જાણો વિગત

દેશના નાગરિકોને આર્થિક સહાય આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંની એક યોજના પીએમ સ્વાનિધિ યોજના છે. પીએમની આ યોજના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના વિશે ખુબ ઓછા લોકો જાણે છે, ગેરંટી વગર મળે છે લોન, જાણો વિગત

Government scheme: સરકાર દ્વારા દેશના નાગરિકોને આર્થિક સહાયતા પ્રદાન કરવા માટે ઘણા પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનામાંથી એક યોજના પીએમ સ્વનિધિ યોજના (PM Svanidhi Yojana)પણ છે. ઘણા ઓછા લોકો આ યોજના વિશે જાણતા હશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી આ યોજના હેઠળ લોકોને સ્મોલ કેપ બિઝનેસ શરૂ કરવા માટે લોન આપવામાં આવે છે. આવો જાણીએ આ યોજના સાથે જોડાયેલી તમામ જાણકારી...

fallbacks

ગેરંટી વગર મળશે લોન
સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કોરોના કાળમાં કરવામાં આવી હતી. આ યોજના લોકોને ગેરંટી વગર લોન આપે છે. યોજના હેઠળ લોકોને ખુદનો બિઝનેસ શરૂ કરવા માટે 80,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોન ત્રણ હપ્તામાં પ્રદાન કરવામાં આવે છે. પ્રથમ હપ્તામાં 10000 રૂપિયા મળે છે. બીજા હપ્તામાં 20 અને ત્રીજા હપ્તામાં 50 હજાર રૂપિયા મળે છે. 

આ પણ વાંચોઃ 5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત

પ્રથમ હપ્તામાં લોન મેળવ્યા પછી, જો તમે તમારી લોન સમયસર ચૂકવશો, તો જ તમે બીજો હપ્તો લેવા માટે પાત્ર બનશો. આ પછી, બીજો હપ્તો ચૂકવ્યા પછી, તમે ત્રીજા હપ્તા માટે અરજી કરી શકો છો.

અરજી માટે માત્ર એક ડોક્યુમેન્ટ જરૂરી
સરકારની પીએમ સ્વનિધિ યોજનામાં અરજી કરવા માટે માત્ર આધાર કાર્ડની જરૂર પડશે. આ માટે અન્ય કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં. લોન લેવામાં આવેલી રકમ માસિક હપ્તા દ્વારા ચૂકવી શકો છો. ધ્યાન આપવા જેવી વાત છે કે તમારે આ રકમ એક વર્ષની અંદર ચૂકવવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More