Home> Business
Advertisement
Prev
Next

RBI એ રદ્દ કર્યું અમદાવાદની આ Co-operative બેંકનું લાયસન્સ, જાણો ગ્રાહકો પર શું પડશે અસર

અમદાવાદની એક કો-ઓપરેટિવ બેંક સામે રિઝર્વ બેંકે કાર્યવાહી કરી છે. આરબીઆઈની કાર્યવાહી બાદ ખાતાધારકોમાં હડકંપ મચી ગયો છે. જાણો કઈ છે આ કો-ઓપરેટિવ બેંક અને આરબીઆઈએ શું કામ કાર્યવાહી કરી છે.

 RBI એ રદ્દ કર્યું અમદાવાદની આ Co-operative બેંકનું લાયસન્સ, જાણો ગ્રાહકો પર શું પડશે અસર

અમદાવાદઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 16 એપ્રિલ 2025 ના રોજ અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું. બેંકે જણાવ્યું હતું કે આ ઓપરેટિવ બેંકની આવકની સંભાવના ઓછી છે અને બેંકિંગ સિસ્ટમ ચલાવવા માટે તેની પાસે પૂરતી મૂડી નથી. તેથી આ બેંકનું લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યું છે.

fallbacks

બેંકની નબળી આર્થિક સ્થિતિ
આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકની નાણાકીય સ્થિતિ એટલી બગડી ગઈ છે કે તે તેના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં સક્ષમ નથી. જો આવી સ્થિતિમાં બેંક ચાલુ રહેશે તો તે થાપણદારોના હિતની વિરુદ્ધ હશે.

સેન્ટ્રલ બેંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા માટે તેમજ થાપણદારોના જાહેર હિતને ધ્યાનમાં રાખીને કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરવાનું આ પગલું ભર્યું હતું.

બેંક પર શું પડશે અસર
આ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય 16 એપ્રિલ 2025 ના રોજ બેંકનો વ્યવસાય બંધ થયા પછી અમલમાં આવ્યો. આનો અર્થ એ છે કે બેંકો અત્યારે નવી થાપણો સ્વીકારી શકશે નહીં અથવા કોઈ નવી લોનનું વિતરણ કરી શકશે નહીં.આરબીઆઈએ રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટી, ગુજરાતને બેંકનું લાઇસન્સ રદ કરવા અને તેની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે લિક્વિડેટરની નિમણૂક કરવા પણ કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સોનાએ લગાવી તોફાની છલાંગ, તમામ રેકોર્ડ તૂટી ગયા, 1 લાખ રૂપિયા નજીક પહોંચ્યો ભાવ

ખાતાધારકો પર શું પડશે અસર
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન હેઠળ, થાપણદારોને મહત્તમ રૂ. 5 લાખ સુધીનો વીમા દાવો પ્રાપ્ત થશે. સારી વાત એ છે કે બેંકોના ડેટા પરથી જાણવા મળ્યું છે કે લગભગ 98.51% થાપણદારોને તેમની સંપૂર્ણ રકમ મળશે. ડીઆઈસીજીસીએ 31 માર્ચ, 2024 સુધી થાપણદારોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.

પહેલા પણ લાગી ચૂક્યો છે પ્રતિબંધ
બેંકની ખરાબ નાણાકીય સ્થિતિને કારણે આરબીઆઈ પહેલા પણ બેંકની ઉપર કાર્યવાહી કરી ચૂક્યું છે. સપ્ટેમ્બર 2023માં બેંકની ખરાબ સ્થિતિને કારણે ઘણા પ્રતિબંધ લગાવ્યા હતા. આ પ્રતિબંધોમાં 50,000 રૂપિયા પ્રતિ ગ્રાહકના ઉપાડની મર્યાદા, નવા પૈસા જમા કરવા પર પ્રતિબંધ અને લોન કે રોકાણ વગેરે સામેલ હતા.

આરબીઆઈ દ્વારા આ પ્રતિબંધોને માર્ચ અને જૂન 2024માં ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો હતો. જેથી તે નક્કી કરી શકાય કે બેંકની નાણાકીય સ્થિતિમાં સુધાર થયો છે કે નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More