RBI REPO Rate: નાણાકીય વર્ષ 2025-26 ના સામાન્ય બજેટમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરામાં ઘટાડો કરીને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. નાણામંત્રીએ 12 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરી દીધી છે. બજેટમાં આ જાહેરાત બાદ લગભગ 1 કરોડ કરદાતાઓ આવકવેરાના દાયરામાં આવી ગયા છે, જેમને કર ચૂકવવો પડશે નહીં. નાણામંત્રીની જાહેરાત બાદ હવે લોકોની નજર ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પર છે.
બધાની નજર RBI પર
દેશની કેન્દ્રીય બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની નાણાકીય નીતિ બેઠક આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. એવી અપેક્ષા છે કે પાંચ વર્ષ પછી RBI મધ્યમ વર્ગને રાહતની ભેટ આપી શકે છે.
આગામી સમયમાં Smartphone બની જશે ઈતિહાસ! આ ડિવાઈસ બનશે નવો બાદશાહ
RBI તરફથી કેટલી રાહતની અપેક્ષા છે?
નિષ્ણાતોના મતે, એવા સંકેતો છે કે આ વખતે RBI પોલિસી રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. જો આવું થાય, તો લગભગ 5 વર્ષ પછી રેપો રેટ બદલાશે. તમને જણાવી દઈએ કે રેપો રેટમાં છેલ્લે મે 2020 માં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પછી મે 2022 થી ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કરવામાં આવ્યો. આ વધારા પછી રેપો રેટ 6.50 ટકા પર પહોંચી ગયો છે.
આ છે વિશ્વની સૌથી મોંઘી ગાય, આટલી કિંમતમાં તો ઘરની આગળ લાગી જશે લક્ઝરી કારની લાઈનો
રેપો રેટમાં ઘટાડાને કારણે EMI ઘટશે
જો RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવે તો નવી અને જૂની લોન સસ્તી થશે. હોમ લોન અને કાર લોનના EMI ઘટશે. જો EMI ઘટશે તો લોકોની વપરાશ ક્ષમતા વધશે કારણ કે લોકોના ખિસ્સામાં ખર્ચ કરવા માટે વધુ પૈસા હશે. જો નિષ્ણાતોનું માનવું હોય તો આ વખતે પોલિસી રેટમાં ઘટાડો થવાની શક્યતા છે.
કિડનીનો પાવર વધારવો હોય, તો રોજ ખાવાનું શરૂ કરી દો આ ચટણી
વ્યાજ દર કેમ ઘટી શકે છે
જો RBI દ્વારા રેપો રેટ ઘટાડવામાં આવે તો વપરાશ ક્ષમતામાં વધારો થશે. આરબીઆઈએ રોકડ વધારવા માટે પહેલાંથી જ પગલાં જાહેર કરી દીધા છે. આનાથી બજારની સ્થિતિમાં સુધારો થયો છે. બજેટ દ્વારા, નાણામંત્રીએ વપરાશને પ્રોત્સાહન આપ્યું છે, જો રેપો રેટ ઘટાડવામાં આવે તો ટેકો મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે