Home> Business
Advertisement
Prev
Next

Foreclosure Loan: સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી

Foreclosure Loan: જો તમે સમય પહેલાં લોન બંધ કરવા માંગતા હો, તો આ સમાચાર તમારા માટે છે. RBI એ વ્યક્તિઓ અને નાના ઉદ્યોગો (MSE) ને વ્યવસાયિક લોન પર વસૂલવામાં આવતો આ ચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Foreclosure Loan:  સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી

Foreclosure Loan: ભારતીય રિઝર્વ બેંક (RBI) સમય પહેલા લોન બંધ કરનારા ગ્રાહકોને મોટી ભેટ આપવા જઈ રહી છે. RBI એ વ્યક્તિઓ અને સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSE) ને વ્યવસાયિક લોન પર વસૂલવામાં આવતો આ ચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. RBIના ડ્રાફ્ટ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક તબક્કાની NBFC સિવાય, તેના કાર્યક્ષેત્ર હેઠળની ટાયર-1 અને ટાયર-2 સહકારી બેંકો અને સંસ્થાઓ, વ્યક્તિઓ અને MSE દેવાદારો દ્વારા વ્યવસાયિક હેતુઓ માટે લેવામાં આવતી ફ્લોટિંગ રેટ લોનની પૂર્વ ચુકવણી પર કોઈપણ ચાર્જ/દંડ વસૂલશે નહીં.

fallbacks

જો કે, મધ્યમ ઉદ્યોગોના કિસ્સામાં, આ દિશાનિર્દેશો પ્રતિ ઉધાર લેનાર કુલ મંજૂર મર્યાદા 7.50 કરોડ રૂપિયા સુધી લાગુ પડશે. તમને જણાવી દઈએ કે હાલના ધોરણો મુજબ, નિયમનકારી સંસ્થાઓ (REs) ની અમુક શ્રેણીઓને વ્યવસાય સિવાયના હેતુઓ માટે વ્યક્તિગત ઉધાર લેનારાઓ દ્વારા મંજૂર કરાયેલ ફ્લોટિંગ રેટ ટર્મ લોન પર પ્રી-પેમેન્ટ ચાર્જ વસૂલવાની મંજૂરી નથી.

બેંક લોન અને બેંક થાપણોમાં ઘટાડો

આ દરમિયાન, RBI એ અહેવાલ આપ્યો છે કે ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન ત્રિમાસિક ધોરણે બેંક લોન અને બેંક થાપણોમાં ઘટાડો થયો છે. વાર્ષિક બેંક લોન વૃદ્ધિ સપ્ટેમ્બર 2024 ક્વાર્ટરમાં 12.6 ટકાથી ઘટીને ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં 11.8 ટકા થઈ ગઈ છે. તેવી જ રીતે, થાપણ વૃદ્ધિ 11.7 ટકાની સરખામણીમાં ઘટીને 11 ટકા થઈ ગઈ છે. કુલ લોનમાં મુખ્ય ભાગ રહેલ પર્સનલ લોનમાં વાર્ષિક ધોરણે 13.7 ટકાનો (એક ક્વાર્ટર પહેલા 15.2 ટકા) વધારો થયો છે.

બિઝનેસ લોનમાં વધારો

બીજી બાજુ, 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં વેપાર, નાણાકીય અને વ્યાવસાયિક/અન્ય સેવાઓ માટે બેંક ધિરાણમાં તીવ્ર વધારો થયો. ડેટા દર્શાવે છે કે ડિસેમ્બર 2024 માં જાહેર ક્ષેત્રની સંસ્થાઓને આપવામાં આવતી લોન 5.4 ટકાના દરે વધી હતી, જે અગાઉના ક્વાર્ટરમાં 0.3 ટકાની વૃદ્ધિ સામે હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે બેંકે અડધાથી વધુ લોન રકમ પર આઠ ટકાથી લઈને 10 ટકા સુધીના વ્યાજ દર વસૂલ્યા હતા. લગભગ 16 ટકા લોન 8 ટકાથી ઓછા વ્યાજ દરે હતી. બાકીની લોન 10 ટકા કે તેથી વધુ વ્યાજ દરે આપવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More