7th pay commission: મોદી સરકારે દેશના 1.15 કરોડ કર્મચારીઓને ઈદની ભેટ આપી છે. મોદી કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યા બાદ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR)માં પણ 2%નો વધારો થશે. આ જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારાની ભેટ મળી છે. અગાઉ મોદી સરકારે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો હતો, પરંતુ આ વધારો ક્યારે અમલમાં આવશે?
Good news for central govt employees & pensioners!
PM Shri @narendramodi ji's govt approves a 2% hike in DA/DR, benefiting 48.66 lakh employees & 66.55 lakh pensioners from 01.01.2025.
An additional ₹6614.04 crore annually empowering India's workforce! pic.twitter.com/Df8RXN8P6p
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) March 28, 2025
ક્યારે લાગુ થશે મોંઘવારી ભથ્થું?
તમને જણાવી દઈએ કે 8મા પગાર પંચના અમલ પહેલા મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું છે અને હવે કર્મચારીઓને 53%ની જગ્યાએ 55% મોંઘવારી ભથ્થું મળશે. લગભગ 48.66 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને આ વધારાનો લાભ મળશે. તાજેતરના અપડેટ મુજબ વધેલું મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે. આવી સ્થિતિમાં લોકોને એપ્રિલ મહિનાના પગારમાં પણ એરિયર્સ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે પગારમાં વધારો અને તેમાં 3 મહિનાનું એરિયર્સ ઉમેરવામાં આવશે.
સરકાર પર પડશે 6614 કરોડનો બોજ
મોંઘવારી ભથ્થામાં વધારા અંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોંઘવારી ભથ્થું વધારવાનો હેતુ મોંઘવારી ઘટાડવા અને કર્મચારીઓની સંતુલિત નાણાકીય સ્થિતિ જાળવી રાખવાનો છે. જોકે, આ વધારાને કારણે સરકાર પર 6614 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે અને નિયત ફોર્મ્યુલા મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે નક્કી કરવામાં આવે છે અને આ ઈન્ડેક્સ દર 6 મહિને અપડેટ થાય છે.
Delhi: On the Cabinet's approval of a 2% DA hike for central government employees, BJD MP Sasmit Patra says, "It's a good decision. The usual process for the DA increase has been followed. Given the rising inflation and increasing prices of essential commodities, it was necessary… pic.twitter.com/kYM9pBPKja
— IANS (@ians_india) March 28, 2025
મોદી કેબિનેટમાં લેવાયેલા અન્ય નિર્ણયો?
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટની બેઠક યોજાઈ હતી. આમાં મોંઘવારી ભથ્થા સિવાય અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, ખરીફ સિઝન માટે ફોસ્ફેટ અને પોટાશ ખાતરો પર રૂ. 37216 કરોડની સબસિડી મંજૂર કરવામાં આવી હતી. પટનાથી બિહારના સાસારામ સુધી નવા ફોર લેન કોરિડોરને મંજૂરી આપવામાં આવી હતી. આ માટે 3712 કરોડનો ખર્ચ કરવામાં આવશે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં બિહાના કોસી મેચી લિંક પ્રોજેક્ટને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે