LPG Gas Price: દેશમાં સોમવારે મોંઘવારીનો જોરદાર ઝટકો જોવા મળ્યો હતો. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે LPG ગેસના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારાની જાહેરાત કરતા મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું. આજે જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 2 રૂપિયાનો વધારો કર્યો છે. નોંધનીય છે કે, LPG ગેસ અને પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો આજે મધરાત 12 વાગ્યાથી લાગુ થઈ જશે.
સરકારે શું કહ્યું?
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવાર 8 એપ્રિલ 2025થી LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો ઉજ્જવલા સ્કીમ અને નોન-ઉજ્જવલા એટલે કે તમામ ગ્રાહકોને લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ ગરીબ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને આપવામાં આવે છે. હવે નવી કિંમતો અનુસાર ઉજ્જવલા યોજના અને અન્ય ગ્રાહકો બન્નેને ગેસ સિલિન્ડર માટે 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે.
સરકારે 14 કિલોના ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી ઉજ્જવલા સ્કીમ હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને નોન-ઉજ્જવલા સ્કીમ હેઠળ તે 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કિંમતોમાં વધી રહી છે અને આપણે ત્યાં કિંમત ઘટી રહી છે. ઘટતું અમે નિર્ણય લીધો છે કે એલપીજીની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે.
હરદીપ સિંહ પુરીએ શું કહ્યું?
કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, LPG સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. હવે ઉજ્જવલા યોજના (PMUY)ના લાભાર્થીઓ માટે ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયાથી વધીને 553 રૂપિયા થશે, જ્યારે અન્ય ગ્રાહકોએ હવે 853 રૂપિયા ચૂકવવા પડશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ નિર્ણય કાયમી નથી અને દર 2 થી 3 અઠવાડિયામાં તેની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, પેટ્રોલ અને ડીઝલ પર જે એક્સાઈઝ ડ્યુટી વધારવામાં આવી છે તેનો બોજ સામાન્ય લોકો પર નહીં જાય. ગેસના વેચાણમાં તેલ કંપનીઓને થયેલા 43,000 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવા માટે આ વધારો કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે