નવી દિલ્હી: ફ્રોડ અને મની લોડ્રીંગના આરોપોનો સામનો કરી રહેલા ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાએ કહ્યું કે તે બેંકો માટે લોનની (પ્રિંસિપલ અમાઉંટ) પરત આપવા માટે તૈયાર છે. તેમણે બેંકો અને સરકારને તેને લેવાનો આગ્રહ કર્યો છે. આજે સવારે એક બાદ એક ટ્વિટ કરીને તેમણે કહ્યું કે 'રાજનેતા અને મીડિયા સતત મોટા બૂમબરાડા સાથે હું ડિફોલ્ટર હોવાની વાત કરી રહ્યા છે જો કે સાર્વજનિક બેંકોના પૈસા લઇને ભાગી ગયો છું. આ વાત ખોટી છે. મને યોગ્ય તક આપવામાં આવતી નથી અને મોટા અવાજે કર્ણાટક હાઇકોર્ટ સમક્ષ માર સમગ્ર સેટેલમેંટવાળી વાતને ઉંચા અવાજે કેમ કહેવામાં આવતી નથી.. આ દુખદ છે.''
7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન
એક અન્ય ટ્વિટમાં તેમણે કહ્યું કે 'પોતાના પ્રત્યર્પણના મામલે મેં મીડિયાની ડિબેટ જોઇ છે. આ અલગ મુદ્દો છે અને કાયદો પોતાની રીતે કામ કરશે. સૌથી મહત્વપૂર્ણ વાત જનતાના પૈસાની છે અને હું તેને 100 ટકા પરત કરવા માટે તૈયાર છું. હું વિનમ્રતાપૂર્વક બેંકો અને સરકાર પાસેથી તેને સ્વિકાર કરવાનો આગ્રહ કરું છું. પરંતુ જો તેને સ્વિકારવામાં આવતી નથી તો કહેશો, કેમ?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે