લોકોને પૈસાની જરૂર પડતાં જ તેઓ તરત જ એટીએમ તરફ દોડે છે. 24×7 ખુલ્લા હોય તેવા ATMમાંથી પૈસા ઉપાડવાનું સરળ છે અને વ્યક્તિ બેંકમાં લાંબી કતારોથી પણ બચી શકે છે. અત્યારે એટીએમમાંથી એક લિમિટ સુધી પૈસા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગતો નથી, પરંતુ લિમિટ પૂરી થયા પછી ખાતામાંથી ચાર્જ કપાઈ જાય છે. હવે ATMમાંથી પૈસા ઉપાડવાના ચાર્જમાં વધારો થઈ શકે છે, હા, તમે બરાબર વાંચ્યું. આવી સ્થિતિમાં જો પૈસા ઉપાડવામાં આવશે તો ખિસ્સા પર બોજ વધશે. ચાલો જાણીએ કે એટીએમમાંથી પૈસા ઉપાડવા ક્યારે મોંઘા થશે અને ચાર્જમાં કેટલો વધારો થશે…
ATMમાંથી પૈસા ઉપાડવા પર કાપવામાં આવશે વધુ પૈસા
ATMમાંથી વારંવાર પૈસા ઉપાડનારા લોકો માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંક, આરબીઆઈ અને એનપીસીઆઈએ એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ચાર્જ વધારવાનો નિયમ બનાવ્યો છે. આ ફેરફાર બાદ રોકડ ઉપાડવાથી ખિસ્સા પર વધુ બોજ પડશે. જ્યાં પહેલા પૈસા ઉપાડવા પર ખાતામાંથી 17 રૂપિયા કપાતા હતા, હવે તેમાં 2 રૂપિયાનો વધારો થશે અને 19 રૂપિયા કપાશે.
ક્યારથી લાગૂ થશે આ નિયમ
ATMમાંથી પૈસા ઉપાડવા હવે મોંઘા થઈ થશે. આ નિયમ 1 મે, 2025થી અમલમાં આવી શકે છે. એ પણ નોંધી લો કે મિની સ્ટેટમેન્ટ, બેલેન્સ ચેકિંગ અને નાણાકીય વ્યવહારો માટે 6 રૂપિયાનો ચાર્જ છે, જે વધારીને 7 રૂપિયા કરવામાં આવશે. જો કે, ઘણા લોકોને ખબર નહીં હોય કે બેલેન્સ ચેક કરવા અને મિની સ્ટેટમેન્ટ ઉપાડવા માટે પણ ચાર્જ છે. આવી સ્થિતિમાં લોકો બિનજરૂરી રીતે તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા ATM પર જાય છે.
એક મહિનામાં કેટલા વ્યવહારો મફત?
અગાઉ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે પૈસા કાપવામાં આવતા હતા, પરંતુ બાદમાં કેટલીક મર્યાદા નક્કી કરવામાં આવી હતી. હા, બધા ગ્રાહકો કોઈપણ ચાર્જ ચૂકવ્યા વિના મહિનામાં ત્રણ વખત ATMમાંથી પૈસા ઉપાડી શકે છે. જો તમે આનાથી વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. આ સિવાય જો તમે તમારી બેંકના એટીએમ સિવાય અન્ય કોઈપણ એટીએમમાંથી 3 વખતથી વધુ પૈસા ઉપાડો છો, તો તમારે ઈન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે