Home> Business
Advertisement
Prev
Next

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. 

ગુજરાતની કંપનીએ એવી દવા શોધી, જે 7 દિવસમાં કોરોના દર્દીને સાજો કરીને RT-PCR નેગેટિવ લાવશે

ઝી મીડિયા/બ્યૂરો :ઝાયડસ કેડિલા (Zydus Cadila) એ શુક્રવારે જાહેરાત કરી કે, કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ (DCGI) પાસેથી કોવિડ 19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની ‘Virafin’ દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. એન્ટીવાયરલ વિરાફિન દર્દીઓની તેજીથી રિકવરી માટે મદદ કરશે. તથા અનેક સમસ્યાઓમાંથી ઉગારશે. કોરોનાની મહામારી વચ્ચે ઝાયડસ કંપનીની આ દવા આશાનું નવુ કિરણ બનીને આવી છે. 

fallbacks

ઝાયડસ કેડિલાનું કહેવુ છે કે, તેમની આ દવા લીધા બાદ 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આવું 91.15 ટકા રોગીઓ સાથે થયું છે. કંપનીનો દાવો છે કે, હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં તેનો ઉપયોગ થશે. ઓક્સિજન લેવલને મેઈનટેઈન કરવા માટે પણ આ દવા કારગત નીવડી છે. 

91.15 ટકા અસરકારક હોવાનો દાવો
કંપનીનો દાવો છે કે, Pegylated Interferon Alpha 2b (Verifin) દવા 18 વર્ષથી વધુના અને હળવા લક્ષણવાળા દર્દીઓ પર અસરકારક સાબિત થઈ છે. ક્લિનિકલ ટ્રાયલમાં દવાના 91.15 ટકા રિઝલ્ટ મળ્યું છે. આ પરિણામોથી સંકેત મળ્યા છે કે, દવાથી દર્દીના રિકવરીના ચાન્સ વધુ છે, આથી બીમારીને આગળ વધતા અટકાવી શકાય છે. કંપનીએ જણાવ્યું કે, ત્રીજા ફેઝમાં હ્યુમન ટ્રાયલ ભારતના 20 થી 25 કેન્દ્રોમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More