મુંબઈઃ બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે બિહારના યૂટ્યૂબર રાશિદ સિદ્દીકી પર 500 કરોડની માનહાનિનો કેસ કર્યો છે. રાશિદે કથિત રીતે અક્ષય કુમારનું નામ સુશાંત સિંહ રાજપૂત કેસમાં લીધુ હતુ. રાશિદના વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેણે અક્ષય કુમાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યુ કે, તેમણે રિયા ચક્રવર્તીને કેનેડા ભગાડવામાં મદદ કરી હતી.
એટલું જ નહીં રાશિદે પોતાના વીડિયોમાં જણાવ્યુ કે, અક્ષયે સુશાંત મામલાને લઈને મુંબઈ પોલીસ અને આદિત્ય ઠાકરેની સાથે સીક્રેટ મીટિંગ કરી હતી. જ્યાં સુધી આ મામલામાં અક્ષય કુમારના નિવેદનની વાત છે તો તેણે આ મામલા પર કોઈ નિવેદન આપ્યું નથી અને ન તેણે કોઈ કોટ કર્યુ છે.
મહત્વનું છે કે આવર્ષે 14 જૂને સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ કથિત રીતે મુંબઈ સ્થિત પોતાના ફ્લેટ પર પંખા સાથે લટકેલો મળ્યો હતો. ત્યારબાદથી સુશાંતના મોતના કારણોને લઈને ઘણા પ્રકારની થ્યોરી સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી છે અને ઘણા લોકોએ અલગ-અલગ વીડિયો બનાવીને અપલોડ કર્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર પોતાની ફિલ્મ લક્ષ્મીને લઈને ચર્ચામાં રહ્યો. ફિલ્મમાં અક્ષયે એક મુસ્લિમ યુવકની ભૂમિકા ભજવી હતી જેના પર લક્ષ્મી નામની ટ્રાન્સજેન્ડરનું ભૂત આવી જાય છે. ફિલ્મ તેના ટાઇટલ અને પટકથાને લઈને ખુબ વિવાદોમાં રહી હતી ત્યારબાદ ફિલ્મનું નામ બદલવામાં આવ્યું હતું.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે