Home> Entertainment
Advertisement
Prev
Next

Amitabh Bachchan એ ઋષિ કપૂરના નિધનવાળી ટ્વીટ ડિલિટ કરી, લોકો શોધી રહ્યાં છે જવાબ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનના સૌથી પહેલા સમાચાર આપનારા અમિતાભ બચ્ચને પોતાની ટ્વીટ ટ્વીટર એકાઉન્ટ પરથી ડિલિટ કરી નાખી છે. અમિતાભ બચ્ચને આખરે આવું કેમ કર્યું લોકો સોશિયલ મીડિયા પર તેના જવાબ શોધી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે અમિતાભ બચ્ચને આજે સવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, તેમના ગયા પછી તેઓ તૂટી ગયા છે. 

Amitabh Bachchan એ ઋષિ કપૂરના નિધનવાળી ટ્વીટ ડિલિટ કરી, લોકો શોધી રહ્યાં છે જવાબ

નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધનના સૌથી પહેલા સમાચાર આપનારા અમિતાભ બચ્ચને પોતાની ટ્વીટ ટ્વીટર એકાઉન્ટ પરથી ડિલિટ કરી નાખી છે. અમિતાભ બચ્ચને આખરે આવું કેમ કર્યું લોકો સોશિયલ મીડિયા પર તેના જવાબ શોધી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે અમિતાભ બચ્ચને આજે સવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, તેમના ગયા પછી તેઓ તૂટી ગયા છે. 

fallbacks

fallbacks

ઈરફાન ખાન બાદ ઋષિ કપૂરે પણ દુનિયાને કરી અલવિદા, અમિતાભે કહ્યું-'હું તૂટી ગયો'

હવે અમિતાભ બચ્ચના ટ્વીટર એકાઉન્ટ વોલ પર છેલ્લી ટ્વીટ ઈરફાન ખાન સંલગ્ન જોવા મળી રહી છે. આખરે અમિતાભે ઋષિ કપૂરવાળી ટ્વીટ ડિલિટ કેમ કરી તે સવાલ લોકોના મનમાં વારંવાર ઉઠી રહ્યો છે. કારણ કે અમિતાભની ટ્વીટ બાદ અનેક બોલિવૂડ હસ્તીઓએ પણ ઋષિ કપૂરના નિધનને લઈને ટ્વીટ કરી હતી. 

fallbacks

સવારે 8:45 વાગે લીધા છેલ્લા શ્વાસ
કપૂર પરિવાર તરફથી જારી કરાયેલા એક સંદેશ મુજબ ગુરુવારે સવારે 8:45 વાગે ઋષિ કપૂરે છેલ્લા શ્વાસ લીધા. તેઓ લ્યુકેમિયા નામની બીમારીથી છેલ્લા 2 વર્ષથી પીડાતા હતાં. હોસ્પિટલમાં તેમને બચાવવાની ભરપૂર કોશિશ કરાઈ હતી. ગત વર્ષે જ્યારે તેઓ વિદેશથી સારવાર કરીને પાછા ફર્યા હતાં ત્યારે ખુબ ખુશ હતાં. દરેકને મળવા માંગતા હતાં. પરંતુ આ બીમારીએ તેમનો પીછો છોડ્યો નહીં. 

અત્રે જણાવવાનું કે ઋષિ કપૂર ગત વર્ષ અમેરિકાથી કેન્સરની સારવાર કરાવીને ભારત પાછા ફર્યા હતાં. લગભગ એક વર્ષ સુધી તેમની સારવાર ચાલી હતી. ઋષિ કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. આ અગાઉ પણ તેમની તબિયત બગડી હતી. ઋષિ કપૂરની પત્ની નીતુ સિંહ માંદગી દરમિયાન સતત તેમની પડખે હતાં. તેમને એક પુત્ર રણબીર કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર છે. 

fallbacks

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપી જાણકારી
ઋષિ કપૂરના મિત્ર, સંબંધી, અને સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ગુરુવારે ટ્વીટ કરીને ઋષિ કપૂરના નિધનની જાણકારી આપ હતી. તેમણે લખ્યું હતું કે ઋષિ કપૂર જતા રહ્યાં, હું તૂટી ગયો છું. બોલિવૂડમાં ઋષિ કપૂરના નિધનથી મોટો આંચકો લાગ્યો છે કારણ કે હજુ ગઈ કાલે જ બોલિવૂડે દિગ્ગજ નેતા ઈરફાન ખાનને ગુમાવ્યાં. આ આઘાતની હજુ તો કળ નહતી વળી કે ત્યાં ઋષિ કપૂરના નિધનના સમાચાર આવ્યાં. 

જુઓ VIDEO

બુધવારે તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં
ઋષિ કપૂરને બુધવારે તબિયત બગડતા મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ભાઈ રણધીર કપૂર અને નીતુ કપૂર તે વખતે  તેમની સાથે હતાં. જો તે સમયે રણધીર કપૂરે જણાવ્યું હતું કે ઋષિ કપૂર હોસ્પિટલમાં છે. તેઓ કેન્સરથી પીડિત છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ છે. આથી તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યાં છે. તેમને દાખલ કરાયા છે અને હાલ તબિયત સ્થિર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More