નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) ઈન્સ્ટાગ્રામ પર આ ફોટોઝને શેર કર્યા જેમાં મહાનાયક લગ્નના રીત -રિવાજો પૂર્ણ કરતા જોવા મળે છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમની પત્ની જયા બચ્ચન (Jaya Bachchan) આજે તેમની Anniversary સેલિબ્રેટ કરી રહ્યા છે. બોલીવુડના મહાનાયકે આજના દિવસે તેના લગ્ન જીવનના 48 વર્ષ પુર્ણ કર્યા છે.
જામનગરના એક કારખાનામાં અચાનક આવી ચઢેલાં ચળકતા સાપે તો ભારે કરી...ક્યારેય નહીં જોયો હોય આવો સાપ!
3 જૂન 1973ના રોજ બન્ને ફિલ્મી સ્ટાર્સના લગ્ન થયા હતા. અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાની મેરેજ એનિવર્સરીના દિવસે જુની યાદોને તાજા કરી છે. પોતાના લગ્ન સમયના ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. અમિતાભ અને જયાના વર્ષો જૂના ફોટોઝ જોઈને તેમના ચાહકો પણ ખુશ થઈ ગયા છે. હાલ સોશલ મીડિયા પર અને એમાંય ખાસ કરીને ઈંસ્ટાગ્રામ પર અમિતાભ અને જયાના લગ્નની તસવીરો ધૂમ મચાવી રહી છે.
કરોડપતિ બનવું હોય તો અપનાવો આ સરળ રસ્તો, નિવૃત્તિ પહેલાં જ તમારા પર થઈ જશે રૂપિયાનો વરસાદ
ફોટોમાં જોવા મળી લગ્નની ઝલક:
લગ્નના મંડપમાં બેઠેલા બન્ને સ્ટાર ખૂબ સુંદર લાગી રહ્યા છે. જયા બચ્ચન લાલ પાનેતરમાં સજીને બેઠી છે તો સફેદ શેરવાણીમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પણ કમાલ લાગી રહ્યા છે. બિગ બી એ આ ફોટાને શેર કરતા કેપ્શનમાં દરેકનો આભાર માન્યો.
Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist
ફેન્સે આપી શુભકામનાઓ:
અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોસ્ટ મુકી તેના થોડા કલાકો પછી 5 લાખથી વધુ સોશિયલ મીડિયા યૂઝર્સે આ ફોટોને લાઈક કર્યા અને શેર પણ કર્યા. તમામ બોલીવુડ સેલિબ્રિટીએ પણ આ ફોટો અંગે પ્રતિક્રિયા આપી છે. ભૂમિ પેડનેકર, અહાનાસ કુમરા, મનીષ પોલ, રાહુલ દેવ અને આવા કેટલાય સ્ટાર્સે કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
Corona ના સંકટ વચ્ચે પૈસાની જરૂર છે? મૂંઝાશો નહીં, PF માંથી આ રીતે લઈ શકશો એડવાન્સ
અમિતાભ- જયાની લવ સ્ટોરી:
અમિતા બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચનની લવ સ્ટોરી ઈન્સ્ટાગ્રામમાં ફેમસ છે. પોતાની એક ફિલ્મની શૂટીંગ પૂર્ણ કર્યા પછી અમિતાભ પોતાના કેટલાક મિત્રો અને જયા બચ્ચનને લઈને વિદેશ ફરવા જવા ઈચ્છતા હતા. આ વાતની પરવાનગી તેમને પોતાના પિતા હરિવંશ રાય બચ્ચ પાસે માગી ત્યારે તેમને કહ્યું કે, જો તેઓ જયાને વિદેશ ફરવા લઈ જવા ઈચ્છે છે તો જયા સાથે લગ્ન કરવા પડશે. લગ્ન કર્યા બાદ જ અમિતાભ જયાને લઈને વિદેશ ફરવા જઈ શકશે. આજ કારણે અમિતાભે જયા સાથે પહેલાં લગ્ન કરવા પડ્યાં. ત્યાર બાદ બન્નેને સાથે વિદેશ ફરવા જવાની પરિવાર તરફથી પરવાનગી મળી હતી.
Maggi ના શોખીનો સાવધાન, સ્વાદનો ચસ્કો લઈ શકે છે તમારો જીવ! જાણી લો ખુદ ઉત્પાદક કંપનીએ શું કહ્યું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે