નવી દિલ્હીઃ ટીવી સીરિયલ અનુપમામાં દરેક નવા એપિસોડની સાથે ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. સીરિયલ એક છે અને તેમાં અલગ-અલગ એક સાથે ઘણી કહાનીઓ દેખાડવામાં આવે છે અને ખાસ વાત છે કે બધાના જીવનમાં દુખ પણ એક સાથે આવી રહ્યું છે. સીરિયલના પાછલા એપિસોડમાં જોવામાં આવ્યું કે અનુજને લગ્નમાં સામેલ કરવા માટે ડિંપલ શાહ પરિવાર સાથે લડે છે અને તેનો અંત તેના પર થાય છે કે ડિંપલ અને સમરના લગ્ન થશે નહીં. પરંતુ અનુપમાના આવનારા એપિસોડમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળશે.
અનુપમાનો અપકમિંગ એપિસોડ
અનુપમાની કહાનીમાં મુખ્ય પાત્ર નિભાવનાર રૂપાલી ગાંગુલીનો પાછલા દિવસોમાં એક ડાયલોગ ખુબ વાયરલ થયો હતો, તેમાં તેણે વનરાજને ઘણું સંભળાવ્યા બાદ કહ્યું હતું- તમારે શું. આવી ઘટના દર્શકોને આવનારા એપિસોડમાં જોવા મળશે. સીરિયલના અપકમિંગ એપિસોડમાં દેખાડવામાં આવશે કે અનુપમા ગુસ્સામાં સમરની સાથે શાહ હાઉસ જાય છે અને વનરાજ સાથે કોઈ શેરનીની જેમ લડે છે. જ્યારે વનરાજ, અનુપમાની સામે અનુજનું ખરાબ બોલે છે તો અનુપમા ભડકી ઉઠે છે અને અનુજની પ્રશંસા કરે છે.
અનુપમા શાહ પરિવારના લોકોને સમજાવે છે ત્યાં ડિંપીની એન્ટ્રી થઈ જાય છે અને આ સાથે વનરાજના ફોન પર અનુજનો કોલ આવે છે. અનુપમા ફોન રિસીવ કરી વનરાજને આપે છે અને બીજી તરફ અનુજ સમજાવે છે કે ડિંપી અને સમરના લગ્ન થવા દો. ડિંપી અને સમર વિશે વાત કર્યા બાદ અનુજ, વનરાજને પોતાના અને અનુપમાના સંબંધની વાત કરે છે અને કહે છે કે તું મારી મિત્ર અનુપમાની પાસે મારો એક મેસેજ પહોંચાડી દે કે હું આજે પણ તેને ખુબ પ્રેમ કરૂ છું. અનુપમા આ બધી વાત ફોન પર સાંભળતી હોય છ અને તેને આંસુ છલકી જાય છે. અંતમાં અનુજ કહે છે કે તે જલદી અનુપમાની પાસે આવી રહ્યો છે. અનુજની વાતો સાંભળીને માયાની ગુસ્સામાં આંસુ આવી જાય છે અને તે એક મોટી ચાલ ચાલવાનો પ્લાન બનાવે છે. હવે જોવાનું રહેશે કે માયા અને વનરાજની ખરાબ નજરથી અનુપમા અને અનુજનો પ્રેમ સલામત રહે છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે