નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સિતારાઓએ પોતાના રિએક્શન આપ્યા છે. જુઓ તેમણે શું કહ્યું....
સુશાંત કેસની CBI તપાસ પર સંજય રાઉત કાળઝાળ, કહ્યું- 'રાજીનામાની વાત નીકળી તો...
SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail 🙏🏻 #Prayers
— Akshay Kumar (@akshaykumar) August 19, 2020
ચુકાદા બાદ બોલિવૂડના એક્શન હીરો અક્ષયકુમારે કહ્યું કે સુપ્રીમે સુશાંત સિંહ રાજપૂતનો કેસ તપાસ માટે સીબીઆઈને સોંપ્યો. આશા છે કે હવે સત્ય બહાર આવશે.
સુશાંત કેસની CBI તપાસને સુપ્રીમની લીલી ઝંડી, NCP સુપ્રીમોના પૌત્રએ કહ્યું 'સત્યમેવ જયતે'
जय हो.. जय हो.. जय हो.. 👍👏🙏 #CBIForSSR #justiceforSushanthSinghRajput
— Anupam Kher (@AnupamPKher) August 19, 2020
સુપ્રીમ કોર્ટના સીબીઆઈ તપાસના આદેશ બાદ અનુપમ ખેરે ટ્વિટ કરીને કહ્યું કે જય હો...જય હો...જય હો....
Last 2months have been extremely restless with everything being so blurry. Supreme Court’s order to let the CBI investigate Sushant’s case is a ray of hope that the truth will finally shine🤞🙏🏻 Lets all have faith, stop speculating & let the CBI do their work now!🙏🏻 #CBIForSSR ✊🏻
— Kriti Sanon (@kritisanon) August 19, 2020
ક્રિતી સેનને ટ્વિટ કરીને કહ્યું કે છેલ્લા બે મહિના ખુબ જ બેચેની ભર્યા રહ્યાં છે કારણ કે કશું સ્પષ્ટ નહતું. સીબીઆઈ તપાસ માટેનો સુપ્રીમ કોર્ટનો આદેશ આશાનું એક કિરણ છે જે દર્શાવે છે કે આખરે સત્ય ચમકશે. આપણે બધા આશા રાખીએ અને હવે ધારણાઓ પર પૂર્ણવિરામ મૂકો તથા સીબીઆઈને તેમનું કામ કરવા દો.
Justice is the truth in action 🙏🏻
Truth wins .... #1ststeptossrjustice pic.twitter.com/2CKgoWCYIL— Ankita lokhande (@anky1912) August 19, 2020
અંકિતા લોખંડેએ ટ્વિટ કરીને કહ્યું કે ન્યાય એ જ છે જે સત્ય બતાવે, સત્યની જીત થઈ છે.
Humanity wins, congratulations to each one of SSR warriors, first time I felt such strong force of collective consciousness, AMAZING 👏👏👏#CBITakesOver
— Kangana Ranaut (@KanganaTeam) August 19, 2020
સુપ્રીમ કોર્ટે આગળ એમ પણ કહ્યું કે બિહાર પોલીસને એફઆઈઆર નોંધવાનો અધિકાર હતો. પટણામાં નોંધાયેલી એફઆઈઆર યોગ્ય હતી. બિહાર પોલીસને પણ કેસની તપાસ કરવાનો અધિકાર હતો. સુશાંતના પિતાના વકીલ વિકાસ સિંહે કહ્યું કે આ સુશાંત સિંહ રાજપૂતના પરિવાર માટે મોટી જીત છે. હવે ન્યાય મળવાની આશા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે