Home> Entertainment
Advertisement
Prev
Next

15 ઓગસ્ટે ટક્કર થશે 'ગોલ્ડ‍' અને 'સત્યમેવ જયતે'ની, 'યમલા પગલા દીવાના ફિર સે'ની પીછેહઠ

15 ઓગસ્ટે અક્ષયકુમાર તેમજ જોન અબ્રાહમ વચ્ચે જામશે જંગ

15 ઓગસ્ટે ટક્કર થશે 'ગોલ્ડ‍' અને 'સત્યમેવ જયતે'ની, 'યમલા પગલા દીવાના ફિર સે'ની પીછેહઠ

નવી દિલ્હી : આ વખતે 15 ઓગસ્ટે બોક્સઓફિસ પર જબરદસ્ત જંગ જામવાનો છે. અક્ષયકુમારની 'ગોલ્ડ‍', જોન અબ્રાહમની 'સત્યમેવ જયતે' તેમજ દેઓલપરિવારની 'યમલા પગલા દીવાના ફિર સે' એમ ત્રણેય ફિલ્મો 15 ઓગસ્ટે રિલીઝ કરવાનું પ્લાનિંગ હતું. હકીકતમાં ત્રણેય ફિલ્મો ખાસ દિવસનો ફાયદો ઉપાડવા ઇચ્છતી હતી. જોકે અક્ષયકુમારની દેશભક્તિ તેમજ સ્પોર્ટસની ભાવનાથી ભરપુર 'ગોલ્ડ‍' તેમજ ભ્રષ્ટાચાર સામે જંગ દર્શાવતી 'સત્યમેવ જયતે' સાથે સ્પર્ધામાં ન ઉતરવું પડે એટલે દેઓલપરિવારે તેમની ફિલ્મની રિલીઝની તારીખ આગળ લંબાવી દીધી છે. 

fallbacks

ધર્મેન્દ્ર, સની દેઓલ તેમજ બોબી દેઓલની ફિલ્મ 'યમલા પગલા દીવાના ફિર સે' હવે 15 ઓગસ્ટના બદલે 31 ઓગસ્ટના દિવસે રિલીઝ થશે. હવે બોક્સઓફિસ પર આ લડાઇ 'ગોલ્ડ' તેમજ 'સત્યમેવ જયતે' વચ્ચે થશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની રિલીઝની તારીખો બદલાઈ હોવાની સુચના આપી છે. 

અક્ષયકુમારની 'ગોલ્ડ'માં તે હોકીના કોચના રોલમાં જોવા મળશે જ્યારે 'સત્યમેવ જયતે'માં જોનની સાથે મનોજ વાજપેયી  અને આયેશા શર્મા છે. 'સત્યમેવ જયતે'નું ડિરેક્શન મિલાપ ઝવેરીએ કર્યું છે. 

મનોરંજન જગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More