Aamir Khan: આમિરખાનની ફિલ્મ 'સિતારે ઝમીન પર' ટૂંક સમયમાં થીએટર્સમાં આવશે. હાલ તેઓ આ ફિલ્મના પ્રમોશન માટે વ્યસ્ત રહેતા દેખાય છે. ઓડિયન્સ પણ આમિરખાનની આ ફિલ્મ માટે ઉત્સુક નજર આવી રહી છે. જોકે આ ફિલ્મ પહેલાં જ આવી ગઈ હોત પણ સેંસર બોર્ડ દ્વારા તેને અટકાવવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેન્સર બોર્ડે આમિરની આ ફિલ્મ પર કાર્યવાહી કરી છે.
CBFCએ ફિલ્મના સીન એડિટ કરવા કહ્યુ
આરએસ પ્રસન્ના નિર્દેશિત 'સિતારે ઝમીન પર' ફિલ્મ 20 જૂનના થિએટર્સમાં દસ્તક આપવા જઈ રહે છે પરંતુ હજુ સુધી સેંસર બોર્ડ સુધી કોઈ સર્ટિકેટ મળ્યું નથી. મીડિયા રીપોર્ટસ અનુસાર, ફિલ્મને પાસ કરવા માટે CBFCએ તેમાનાં બે સીન્સ હટાવવાનું કહ્યું છે. આમિકખાને સેંસર બોર્ડના આ આદેશને નકાર્યો છે. તેઓ કોઈપણ હાલમાં આ સીન્સને એડિટ કરવા તૈયાર નથી.
કહેવામાં આવે છે કે આ કારણોસર સેંસર બોર્ડ અને આમિરખાન વચ્ચે તનાતની શરુ થઈ છે. હવે, ફિલ્મ રીલીઝ થવાની તારીખ પાછળ થવાની સંભાવના છે. બોલીવૂડ હંગામાની એક રીપોર્ટ અનુસાર, આ ફિલ્મને CBFCમાં મોકલવામાં આવી હતી જેમાં ફિલ્મના બે સીન પર કટ મારવાનો આદેશ આપ્યો હતો. જોકે ફિલ્મ સાથે જોડાયેલ સૂત્રોનું કહેવું છે કે આમિરખાન માને છે કે આ કટ્સ વગર ફિલ્મ પાસ થવી જોઈએ.
આમિરખાને CBFCના આદેશનો કર્યો ઈન્કાર
રીપોર્ટસ અનુસાર, આમિરખાનનું માનવું છે કે તેમણે અને ડાયરેક્ટર આરએસ પ્રસન્નાએ દરેક બાબતો પર બારીકી ધ્યાન આપી ફિલ્મનું નિર્માણ કર્યુ છે. ઉપરાંત અમુક સીન અને સંવાદ એવા હોય છે જેને તેનો સંદર્ભ આપી દર્શકો સામે પ્રસ્તુત કરવામાં આવે છે. બીજી તરફ એ જાણકારી બહાર નથી આવી કે સેંસર બોર્ડે ક્યાં બે સીન કાઢવાના કહ્યા છે. અમુક સૂત્રોનો દાવો છે કે આમિરખાન સોમવારે આ બાબતે ફરી સેંસર બોર્ડની મુલાકાતે પહોંચી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે