મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં Zee Newsએ મોટો ખુલાસો કર્યો છે. Zee News પાસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને તેમના મિત્ર કુશલ ઝવેરીની એક્સક્લુઝિવ વોટ્સએપ ચેટ છે. જેનાથી ખબર પડે છે કે સુશાંત મોત પહેલા ડિપ્રેશનમાં નહતો. આ વોટ્સએપ ચેટ 1 અને 2 જૂન વચ્ચેની છે.
સુશાંતના મોતના દિવસે તેના ઘરની બહાર ઘૂમતી જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' વિશે થયો ચોંકાવનારો ખુલાસો
વોટ્સએપ ચેટમાં સુશાંત તેમના મિત્રને જણાવે છે કે તેમનું સ્વાસ્થ્ય એકદમ સારું છે. પછી તેઓ કુશલને સમજાવે છે કે જીવનમાં સંઘર્ષ માર્ગથી જરાય ન ડરવું જોઈએ, તે જ જીવનનો ગોલ્ડન પીરિયડ હોય છે.
અત્રે જણાવવાનું કે આ વોટ્સએપ ચેટથી સ્પષ્ટ થાય છે કે સુશાંત સિંહ રાજપૂત પોતાની કરિયર અને ભવિષ્યને લઈને ખુબ સકારાત્મક અને ખુબ જ આશાવાદી હતાં. તેનાથી સુશાંત ડિપ્રેશનમાં હોવાની થીયરી ખોટી સાબિત થઈ રહી છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે
સુશાંતના બોડીગાર્ડ રહી ચૂકેલા નવીન દલવીએ પણ તેમના ડિપ્રેશનમાં હોવાના દાવાને ફગાવી દીધો છે. નવીને ઝી મીડિયાને જણાવ્યું છે કે સુશાંત ક્યારેય આત્મહત્યા કરી શકે નહીં. સુશાંતે અનેક લોકોની મદદ ક રી પરંતુ ક્યારેય તેનો ઢંઢેરો પીટ્યો નથી. હું જાન્યુઆરી 2019 સુધી તેમની સાથે હતો.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે