Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Singh Rajput ની પરેશાની વિશે શેખર કપૂરે કરી હતી એવી ટ્વિટ, લોકોએ કહ્યું- તમે નામ જણાવો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દિગ્દર્શક શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. શેખર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત આ ફિલ્મ માટે ખુબ તૈયારી પણ કરી રહ્યાં હતાં પરંતુ કોઈ કારણસર ફિલ્મ અભરાઈએ ચડી ગઈ. આ ફિલ્મને લઈને સુશાંત અને અને શેખર વચ્ચે કલાકો સુધી વાત ચાલતી હતી. ફિલ્મ ન બની શકતા સુશાંત ખુબ દુ:ખી થયા હતાં અને તેઓ શેખરને ફોન કરીને અનેકવાર રડ્યા હતાં. શેખર કપૂરે હવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોના કારણે સુશાંત પરેશાન હતાં. શેખર કપૂરની આ ટ્વિટ બાદ હવે ફેન્સે તેમને કહ્યું છે કે તેઓ તે નામનો ખુલાસો કરે. 

Sushant Singh Rajput ની પરેશાની વિશે શેખર કપૂરે કરી હતી એવી ટ્વિટ, લોકોએ કહ્યું- તમે નામ જણાવો

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) દિગ્દર્શક શેખર કપૂર સાથે ફિલ્મ 'પાની'માં કામ કરવાના હતાં. શેખર કપૂરે આ વાતનો ખુલાસો કર્યો છે. સુશાંત આ ફિલ્મ માટે ખુબ તૈયારી પણ કરી રહ્યાં હતાં પરંતુ કોઈ કારણસર ફિલ્મ અભરાઈએ ચડી ગઈ. આ ફિલ્મને લઈને સુશાંત અને અને શેખર વચ્ચે કલાકો સુધી વાત ચાલતી હતી. ફિલ્મ ન બની શકતા સુશાંત ખુબ દુ:ખી થયા હતાં અને તેઓ શેખરને ફોન કરીને અનેકવાર રડ્યા હતાં. શેખર કપૂરે હવે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી કે ઈન્ડસ્ટ્રીમાં કોના કારણે સુશાંત પરેશાન હતાં. શેખર કપૂરની આ ટ્વિટ બાદ હવે ફેન્સે તેમને કહ્યું છે કે તેઓ તે નામનો ખુલાસો કરે. 

fallbacks

શેખર કપૂરે સુશાંતને યાદ કરતા ટ્વિટ કરી હતી કે, "મને એ વાતની જાણકારી છે કે તું કયા દર્દમાંથી પસાર થઈ રહ્યો હતો. મને ખબર છે કે તને કોણે નીચું દેખાડ્યું. તુ મારા ખભે માથું રાખીને રડ્યો હતો. કાશ હું તે છ મહિનામાં તારી સાથે હોત., કાશ તુ મારા સુધી પહોંચી શક્યો હોત. જે પણ થયું તે તેમના કર્મ છે, તારા નથી."

સુશાંત સિંહ રાજપૂત ઈન્ડસ્ટ્રીમાં કોઈના કારણે પરેશાન હતા તે શેખર કપૂરની આ ટ્વિટથી ખુલાસો થયો. શેખર કપૂરની આ ટ્વિટે ફેન્સમાં ખળભળાટ મચાવી દીધો. શેખરની આ ટ્વિટ બાદ ફેન્સ સતત મેસેજ કરી રહ્યાં છે, તેઓ સવાલ કરી રહ્યાં છે કે તેઓ જલદી જણાવે અને તે વ્યક્તિના નામનો ખુલાસો કરે જેથી કરીને સુશાંત સિંહને ન્યાય મળી શકે. શેખર કપૂરે સોશિયલ મીડિયા યૂઝર્સના આ ટ્વિટ બાદ જવાબ પણ આપ્યો છે. 

શેખર કપૂરને એક યૂઝરે કહ્યું કે, 'તમારે તે લોબી વિરુદ્ધ બોલવું જોઈએ.' આ ઉપરાંત અનેક યૂઝર્સ શેખર કપૂરને સતત ટ્વિટ કરી રહ્યાં છે કે તેઓ તે નામનો પણ ખુલાસો કરે. આ ટ્વિટ બાદ શેખર કપૂરે પોતાની એક ટ્વિટમાં લખ્યું કે, 'કેટલાક લોકોના નામ લેવાથી કોઈ ફાયદો નથી. તેઓ પોતે સિસ્ટમનો શિકાર છે. જો તમે ખરેખર પરવા કરો છો તો તે સિસ્ટમને જ યોગ્ય કરવાનો પ્રયત્ન કરો. અહીં બધાએ એકજૂથ થઈને કામ કરવું પડશે.'

અત્રે જણાવવાનું કે એવા પણ અહેવાલો આવી રહ્યાં છે કે સુશાંત સિંહ રાજપૂતના હાથમાંથી અનેક ફિલ્મો નીકળી ગઈ હતી જેના કારણે તેઓ ખુબ પરેશાન હતાં. હવે સુશાંતના ડિપ્રેશન અને આત્મહત્યા જેવા ઘાતક પગલાં પાછળ અસલ કારણ શું છે તે જાણવા માટે દરેક જણ રાહ જોઈ રહ્યાં છે.

લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More