Home> Entertainment
Advertisement
Prev
Next

Hera Pheri 3 માં ટીમ ઈન્ડિયાનો આ ધાકડ ક્રિકેટર બનશે બાબુભૈયા? ભજ્જીપાજીએ કહ્યું-તે કરી શકે છે પરેશ રાવલને રિપ્લેસ

બહુ ચર્ચિત કોમેડી ફિલ્મ હેરાફેરી 3માંથી હટ્યા બાદ 11 લાખ રૂપિયાની સાઈનિંગ અમાઉન્ટ પણ પરેશ રાવલે પાછી આપી દીધી અને તે પણ 15 ટકા વ્યાજ સાથે. આ પ્રોજેક્ટ માટે તેમની કુલ કથિત ફી સામાન્ય રીતે 15 કરોડ રૂપિયા હતી. હવે આ રોલ માટે એક ક્રિકેટરનું નામ પણ સૂચવવામાં આવ્યું છે. 

Hera Pheri 3 માં ટીમ ઈન્ડિયાનો આ ધાકડ ક્રિકેટર બનશે બાબુભૈયા? ભજ્જીપાજીએ કહ્યું-તે કરી શકે છે પરેશ રાવલને રિપ્લેસ

દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલ હેરાફેરી 3 ફિલ્મમાંથી બહાર થયા બાદ ફેન્સ  આઘાતમાં સરી પડ્યા છે. પરેશ રાવલની કાનૂની ટીમ મુજબ અભિનેતાએ કોમેડી ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મમાંથી હટ્યા બાદ 11 લાખ રૂપિયાની સાઈનિંગ અમાઉન્ટ, 15 ટકા વ્યાજ અને વધારાની રકમ પણ પરત કરી છે. આ પ્રોજેક્ટ માટે તેમની કુલ ફી કથિત રીતે 15 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પરેશ રાવલે ફિલ્મ છોડ્યા બાદ હવે સંભવિત વિકલ્પો પર અટકળો થઈ રહી છે. આ બધા વચ્ચે અભિનેતા પંકજ ત્રિપાઠીએ પણ આ ભૂમિકા વિશે કોઈ પણ પ્રકારનું ઈન્વોલ્વમેન્ટ હોવાનો ઈન્કાર કરી દીધો છે. હવે ક્રિકેટર હરભજન સિંહે બાબુભૈયાના રોલ માટે એક નામ સૂચવ્યું છે. જો કે આ નામ બિલકુલ હટકે છે અને કદાચ કોઈએ તેની કલ્પના પણ નહીં કરી હોય. 

fallbacks

આ  ક્રિકેટર બનશે બાબુભૈયા?
ફિલ્મીજ્ઞાન સાથે એક હળવી વાતચીત દરમિયાન હરભજન સિંહે ક્રિકેટર સૂર્યકુમાર યાદવનું નામ આ રોલ માટે સૂચવ્યું અને કહ્યું કે બાબુભૈયાના પાત્ર માટે એકદમ પરફેક્ટ છે આ ક્રિકેટર. તેમણે કહ્યું કે, "સૂર્ય ખુબ સારો છે, સૂર્યા એક એક્ટર છે. હા. સૂર્યકુમાર ખુબ મજેદાર છે, તે એક સારો હેરાફેરીવાળો એક્ટર છે. જો હું આમ કહીશ તો કઈક વિવાદ થશે. હું જોઈ રહ્યો છું કે પરેશ રાવલે ફિલ્મ છોડી  દીધી છે. હું હજુ એને વાંચી રહ્યો છું. અક્ષયભાઈ મારા પર કેસ ન કરતા". તેમણે હસતાં હસતાં કહ્યું કે, "તે પરેશ રાવલ જેવો અભિનય તો નહીં કરી શકે પરંતુ હા...તેને  બાબુભૈયાના બધા ડાયલોગ્સ યાદ છે, કદાચ તે  તેમની જગ્યા લઈ શકે છે. જો તેમને કામ મળે તો 15% ભાગ મારો હશે."

બીજી બાજુ પરેશ રાવલે આ ફિલ્મ વિશે સ્પષ્ટ કર્યું કે તેમનો બહાર નીકળવાનો નિર્ણય લાંબા સમયથી સહયોગી અને નિર્દેશક પ્રિયદર્શન સાથે કોઈ વિવાદના કારણે નથી લેવાયો. જે પણ હોય પરંતુ હેરાફેરીમાં બાબુભૈયાના પાત્રમાં પરેશ રાવલ નહીં હોય તે જાણીને ફેન્સ અત્યારથી આઘાતમાં સરી પડ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પરેશ રાવલે ફિલ્મ છોડ્યા બાદ આ પાત્ર કોણ ભજવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More