Home> Entertainment
Advertisement
Prev
Next

Latest News: નેહા આદિત્યના લગ્ન પૂર્વે ઉદીત નારાયણે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

નેહા કક્કડ (Neha Kakkar) અને આદિત્ય નારાયણના (Aditya Narayan) લગ્નના સમાચાર વચ્ચે આદિત્ય નારાયણના પિતા ઉદીત નારાયણનું (Udit Narayan) ચોંકાવનારૂ નિવેદન સામે આવ્યું છે.

Latest News: નેહા આદિત્યના લગ્ન પૂર્વે ઉદીત નારાયણે આપ્યું ચોંકાવનારૂ નિવેદન

નવી દિલ્હી : જાણીતી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) અને આદિત્ય નારાયણ (Aditya Narayan) ના લગ્નના સમાચારને પગલે ફેન્સમાં ખુશીની લાગણી પ્રસરી છે. બંનેની રોમેન્ટિક તસ્વીરો પણ સામે આવી રહી છે. સોશિયલ મીડિયામાં પણ બંનેની જોડી છવાઇ છે. ખબર અનુસારા 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડેના દિવસે બંને લગ્ન કરવાના છે. પરંતુ આદિત્ય નારાયણના પિતા ઉદીત નારાયણના હાલમાં સામે આવેલા નિવેદને સૌને ચોંકાવી દીધા છે. 

fallbacks

નેહા કક્કડ અને આદિત્ય નારાયણની જોડી તાજેતરમાં જ ગોવામાં પ્રી વેડીંગ શૂટ કરાવતી પણ નજરે પડી હતી. અમારી સહયોગી વેબસાઇટ ડીએનએમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આદિત્યના પિતા અને બોલીવુડ સિંગર ઉદીત નારાયણે આ લગ્નને લઇને એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. 

fallbacks

ઉદીત નારાયણની વાત માનીએ તો એમના પુત્રના લગ્ન અંગે એમને કંઇ જાણ નથી. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આદિત્ય અમારો એકનો એક પુત્ર છે. અમે એના લગ્નની રાહ જોઇ રહ્યા છીએ. જો બધી વાતો સાચી હોય તો હું અને મારી પત્ની આ દુનિયાના સૌથી ખુશનસીબ માતા પિતા હોઇએ. પરંતુ આદિત્યએ અમારી સાથે આ અંગે હજુ કંઇ શેયર કર્યું નથી.

fallbacks

ઉદીતે નેહા અંગે જણાવતાં કહ્યું કે, મને લાગે છે કે નેહા અને આદિત્યના લગ્નની વાતો માત્ર ટીવી શોની ટીઆરપી વધારવાનો જ કીમિયો હોઇ શકે છે. જ્યાં નેહા જજ છે અને મારો પુત્ર હોસ્ટ છે. લગ્નની આ વાતો કદાચ સાચી હોત. નેહા ઘણી સારી છોકરી છે અમને તે ઘણી પસંદ છે. વહૂના રૂપમાં અમે સહર્ષ સ્વીકારીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More