Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખ ખાનનો શોકિંગ નિર્ણય, કિંગ ખાન પરિવાર સાથે 'મન્નત' છોડીને નવા ઘરમાં થશે શિફ્ટ!

Shah Rukh Khan To Move Out Of Mannat: કિંગ ખાન પોતાનો કરોડોનો બંગલો છોડીને ભાડાના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ રહ્યો છે, આ સમાચારથી ફેન્સ ચોંકી ગયા છે. તેમને એ નથી સમજાતું કે, આખરે શાહરૂખે આ નિર્ણય કેમ લીધો.

શાહરૂખ ખાનનો શોકિંગ નિર્ણય, કિંગ ખાન પરિવાર સાથે 'મન્નત' છોડીને નવા ઘરમાં થશે શિફ્ટ!

Shah Rukh Khan To Move Out Of Mannat: માયાનગરી આવ્યા અને ગેટવે ઓફ ઈન્ડિયા સિવાય લોકોને જેનું ઘર જોવાની સૌથી વધુ તમન્ના હોય છે તે શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' છે. 'મન્નત'નો ક્રેઝ મુંબઈ આવનાર દરેક વ્યક્તિને હોય છે, જે કિંગ ખાનનો જબરો ફેન હોય છે. ફેન્સ ઘરની બહાર આવે છે અને એક્ટરની એક ઝલક મળવાની આશામાં ઘરની બહાર ફોટો પડાવે છે. પરંતુ હવે શાહરુખ ખાન તેમનો આ 200 કરોડ રૂપિયાનું ઘર 'મન્નત' છોડીને ભાડાના મકાનમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. આવો અમે તમને તેની પાછળનું કારણ પણ જણાવીએ.

fallbacks

પાલીહિલમાં લીધા બે ડુપ્લેક્સ
થોડા દિવસો પહેલા જ કિંગ ખાને મુંબઈના પાલીહિલ વિસ્તારમાં બે ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધા છે. જેમાં એક પ્રોપર્ટી ભગનાની પરિવારની છે જેના માલિક જેકી ભગનાની છે જ્યારે બીજી પ્રોપર્ટી રિતેશ દેશમુખની છે.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી નિર્દય છે આ ટીમ, દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

24 લાખનું ચૂકવશે ભાડું
રિપોર્ટ્સ અનુસાર શાહરૂખે આ પ્રોપર્ટી લીઝ પર લીધી છે. રિતેશના એપાર્ટમેન્ટનું ભાડું 11.54 લાખ રૂપિયા પ્રતિ માસ છે. જેના માટે 32.97 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ કરવામાં આવી છે. બીજું એપાર્ટમેન્ટ ભગનાનીનું છે. જેનું ભાડું 12.61 લાખ રૂપિયા પ્રતિ માસ છે. આ માટે 36 લાખ રૂપિયાની સિક્યોરિટી પણ જમા કરાવવામાં આવી છે. આથી આ બે એપાર્ટમેન્ટમાં રહેવા માટે કિંગ ખાન એક મહિનાનું 24 લાખ રૂપિયાનું ભાડું ચૂકવશે.

વધુ 2 ફ્લોર બનાવશે કિંગ ખાન
શાહરૂખ ખાન અને ગૌરી ખાને મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટને પત્ર લખ્યો હતો. જેમાં વધુ બે ફ્લોર બનાવવાની પરવાનગી માંગવામાં આવી હતી. હાલમાં મન્નત 6 માળનું છે. આ પરવાનગી મંજૂર આપવામાં આવી છે, જેના પછી મન્નતને અંડર કસ્ટ્રક્શન ગયા બાદ કિંગ ખાન થોડા સમય માટે આ ભાડાના મકાનમાં શિફ્ટ થશે.

હોળી પહેલા સૂર્યની રાશિમાં ચંદ્ર ગોચરથી આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, નોકરી-બિઝનેશમાં મળશે છપ્પડફાડ લાભ

મે મહિનામાં થઈ શકે છે કામ શરૂ
HTના રિપોર્ટ અનુસાર શાહરૂખ અને ગૌરીના મન્નતનું કસ્ટ્રક્શન કામ મે મહિનામાં શરૂ થઈ શકે છે. આ બંગલાને મોટો અને શાહી બનાવવા માટે ખાન પરિવારે આ નિર્ણય લીધો હતો. 'મન્નત' ગ્રેડ 3 હેરિટેજ બિલ્ડિંગ છે. આવી સ્થિતિમાં તેમાં કોઈપણ ફેરફાર કરવા માટે પરવાનગી લેવી પડે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ છેલ્લે ફિલ્મ 'ડિંકી'માં જોવા મળ્યો હતો. હવે તે 'કિંગ'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More