નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસની તપાસને લઈને આજે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ જણાવ્યું કે આ કેસની તપાસ CBI કરશે.
Exclusive: સુશાંતના મોતના ગણતરીના દિવસો પહેલાની WhatsApp ચેટ, મિત્ર સાથે શેર કરી આ વાતો
Supreme Court orders CBI investigation in #SushantSinghRajput death case https://t.co/vtrUwi8zu5
— ANI (@ANI) August 19, 2020
અત્રે જણાવવાનું કે બિહાર સરકાર પહેલેથી આ ઘટનામાં નોંધાયેલી FIRની તપાસ સીબીઆઈને સોંપી ચૂકી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈ તપાસનો વિરોધ કરી રહી છે. મહારાષ્ટ્ર સરકારની દલીલ છે કે મુંબઈ પોલીસ જ આ કેસની તપાસ કરે. જે આ કેસમાં 56 લોકોના નિવેદનો લઈ ચૂકી છે અને આ સમગ્ર મામલો મુંબઈ પોલીસના અધિકાર ક્ષેત્રનો છે કારણ કે ઘટના મુંબઈમાં ઘટી છે. પીડિત અને આરોપી તથા સાક્ષીઓ બધા મુંબઈના છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે
સુશાંતના પિતાએ FIR પટણામાં નોંધાવી હતી પરંતુ ત્યારબાદ તેઓ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી રહ્યાં છે. આ બાજુ સુપ્રીમ કોર્ટમાં દાખલ જવાબમાં રિયા ચક્રવર્તીએ પણ કહ્યું છે કે જો સુપ્રીમ કોર્ટ ઈચ્છે તો આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા પર તેને કોઈ આપત્તિ નથી.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે