નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના પિતા કેકે સિંહે પોતાના પુત્રના લગ્નના પ્લાનિંગ પર વાત કરતાં કહ્યું કે તેમનો ઇરાદો આગામી વર્ષે ફેબ્રુઆરી અથવા માર્ચની આસપાસ લગ્ન કરવાના હતા. કેકે સિંહએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે આ અંગે વાત થઇ હતી. તેમણે કહ્યું હતું કે કોરોનામાં તો નહી, ત્યારબાદ એક ફિલ્મ આવી રહી હતી. તે કરી લેશે ત્યારબાદ ફેબ્રુઆરી-માર્ચમાં જોઇ શકો છો. આ તેની સાથે મારી લાસ્ટ વાત થઇ હતી.''
દુખી પિતાએ ચંદ્ર માટે પોતાના પુત્રના જુજૂન અને ત્યાં તેમને ખરીદેલી જમીન વિશે વાત કરી. તેમણે કહ્યું કે ''હા, ચંદ્ર પર ખરીદી હતી અને પોતાનો પ્લોટ 55 લાખના બાયનોકુલરથી જોતો હતો.''
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે મુંબઇ અને પટનામાં સ્થિત તેમના ઘરે તેમના પરિવાર સાથે મળવા આવ્યા હતા. કેકે સિંહે તેની પણ જાણકારી આપી.
અત્રે ઉલ્લેખનીય છે અભિનેતાએ 14 જૂનના રોજ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. તેના બીજા દિવસે તેમના પરિવારના સભ્ય અંતિમ સંસ્કાર માટે મુંબઇ પહોંચ્યા હતા. અત્યાર સુધી થોડા દિવસો પહેલાં પટનામાં તેમના ઘરે એક પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી. તાજેતરમાં તેમનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ વડે ખુલાસો થયો હતો કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે