Home> Entertainment
Advertisement
Prev
Next

TV actors' shocking deaths! 2 દિવસમાં 3 ટીવી એક્ટરના મોત, આદિત્ય, વૈભવી બાદ નીતિશ પાંડેની દુનિયાને અલવિદા

TV actors shocking deaths: છેલ્લા 48 કલાકમાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણે કોઈ પહાડ તૂટી પડ્યો હોય તેમ પહેલા સ્પ્લિટ્સવિલા 9 ફેમ આદિત્ય સિંહ રાજપૂતનું અવસાન થયું, પછી સારાભાઈ vs સારાભાઈ એક્ટ્રેસ વૈભવીનું અકસ્માતમાં અને હવે અનુપમા સિરિયલના અભિનેતા નીતિશ પાંડેએ દુનિયાને અલવિદા કહી દીધું છે. 

TV actors' shocking deaths! 2 દિવસમાં 3 ટીવી એક્ટરના મોત, આદિત્ય, વૈભવી બાદ નીતિશ પાંડેની દુનિયાને અલવિદા

TV actors shocking deaths: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે.  મંગળવારે સ્પ્લિટ્સવિલા 9 ફેમ આદિત્ય સિંહ રાજપૂતનું અવસાન થયું અને બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક દિગ્ગજ અભિનેતાએ આપણને અલવિદા કહી દીધું છે. 

fallbacks

અહેવાલ મુજબ, અભિનેતા નીતીશ પાંડે ગઈ કાલે રાત્રે નાશિક નજીક ઇગતપુરીમાં શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, નીતિશના સંબંધી અને નિર્માતા સિદ્ધાર્થ નાગરે આ સમાચારની પુષ્ટિ કરી છે.  સિદ્ધાર્થનું કહેવું છે કે નીતીશ શૂટિંગ માટે ઇગતપુરી ગયો હતો, જ્યાં લગભગ 1.30 વાગ્યે તેને હાર્ટ એટેક આવ્યો. અહેવાલો અનુસાર, અભિનેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું નિધન થઈ ચૂક્યું હતું. નીતિશના અચાનક દુનિયામાંથી વિદાય થવાથી પરિવારની સાથે સાથે સમગ્ર ઈન્ડસ્ટ્રી આઘાતમાં છે.
fallbacks

આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો

આ પહેલા સવારે જ ટીવીના પ્રખ્યાત કોમેડી શો સારાભાઈ વર્સીસ સારાભાઈ 2 માં પાત્ર ભજવતી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થયું  32 વર્ષીય વૈભવી ઉપાધ્યાયની કારની હિમાચલ પ્રદેશમાં અકસ્માત નડ્યો હતો. તેમનો પરિવાર ચંદીગઢમાં રહે છે જેઓ તેના મૃતદેહને મુંબઈ લાવશે. વૈભવી ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર મુંબઈમાં આજે થશે. ટીવી ઇન્ડસ્ટ્રી માટે હાલ સમય ખરાબ ચાલી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા જ યુવા એક્ટર આદિત્ય સિંહ રાજપુત નું શંકાસ્પદ હાલતમાં મોત થયું અને ત્યારબાદ વૈભવી ઉપાધ્યાયને કાર અકસ્માત નડ્યો જેમાં તેનું પણ મોત થયું. 

fallbacks

 જાણીતા એક્ટર, મોડલ અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું રહસ્યમય રીતે મોત થયું છે. સોમવારે બપોરે અંધેરીના ઘરના બાથરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આદિત્યના મિત્રએ તેને બિલ્ડિંગના 11મા માળે સ્થિત ઘરમાં મૃત અવસ્થામાં જોયો હતો. આ પછી, મિત્ર અને બિલ્ડિંગના ચોકીદાર તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યો.

fallbacks

આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More