Home> Entertainment
Advertisement
Prev
Next

કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ

Unlucky In Love Twice : એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે કોઈનું બ્રેકઅપ થશે અને કોણ કોની સાથે લગ્ન કરશે તે કહેવું મુશ્કેલ છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની ત્રીજી પત્ની બનવા માટે તૈયાર થઈ ગઈ અને લોકોના ટ્રોલનો પણ ભોગ બની છે

કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ

These actresses have the tag of third wife : બોલિવૂડ સેલેબ્સની લાઈફ હંમેશા હેડલાઈન્સમાં રહે છે. અહીં ઘણા સ્ટાર્સે બીજા લગ્ન કરીને પ્રેમ મેળવ્યો હતો, પરંતુ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ તેમના પતિની ત્રીજી પત્ની છે. આ યાદીમાં બોલિવૂડથી લઈને ટીવી જગતની અનેક સુંદરીઓના નામ સામેલ છે. તમે અફેયર એક નહીં 10 કરી શકો તો કોઈ તમારી પર ટેગ લગાવતું નથી પણ અહીં ત્રીજી પત્નીનો ટેગ લાગે છે. બોલિવૂડમાં જ પૈસો મારો પરમેશ્વર છે.

fallbacks

લોકપ્રિય ટીવી સીરિયલ 'અનુપમા'માં મુખ્ય ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહેલી રૂપાલી ગાંગુલીએ વર્ષ 2013માં અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર પણ છે. અશ્વિન વર્માના આ ત્રીજા લગ્ન છે. એમની દીકરીએ આ અફેયરના ધજિયાં ઉડાવી દીધા છે. 

અશ્વિને રૂપાલી સાથેના લગ્ન પહેલાં બે લગ્ન કર્યા હતા અને તેના બીજા લગ્નથી તેને એક પુત્રી ઈશા વર્મા છે. ઈશાએ હાલમાં જ તેની સાવકી માતા રૂપાલી પર ઘણા આરોપો લગાવ્યા છે. જેના કારણે રૂપાલી ગાંગુલી હાલમાં ચર્ચામાં છે. 

fallbacks

બિપાશા બાસુએ બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જોકે અભિનેત્રી થોડા વર્ષોથી મોટા પડદાથી દૂર છે. બિપાશાના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 2016માં એક્ટર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને એક સુંદર પુત્રી પણ છે. 

fallbacks

તમને જણાવી દઈએ કે બિપાશા પહેલા કરણ સિંહે બે વાર લગ્ન કર્યા હતા અને બંને લગ્ન ટક્યા ન હતા. એટલે કે બિપાશા કરણની ત્રીજી પત્ની છે.

fallbacks

ભૂલ ભુલૈયા 3ની મંજુલિકા ઉર્ફે વિદ્યા બાલને 2011માં ફિલ્મ મેકર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા. વિદ્યા પહેલાં સિદ્ધાર્થ રોય કપૂરના બે લગ્ન કરી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં આ અભિનેત્રી પર ત્રીજી પત્નીનો ટેગ લાગ્યો હતો.

fallbacks

માન્યતા દત્ત પણ આ યાદીમાં સામેલ છે. માન્યતા સંજય દત્તની ત્રીજી પત્ની છે. માન્યતા સાથે લગ્ન કરતા પહેલા સંજય દત્તે પણ બે વાર લગ્ન કર્યા હતા. માન્યતા અને સંજય બે બાળકોના માતા-પિતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More