કેતન બગડા, અમરેલી: રાજુલા જાફરાબાદ બોર્ડર નજીક એક અઠવાડિયામાં 2 સિંહના મોત મામલે વનવિભાગ સતર્ક થયું છે. રાજુલા - જાફરાબાદ બંને રેન્જ વિસ્તારમા સિંહોના હેલ્થની ચકાચણી કરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયા છે.
વનવિભાગ દ્વારા 4 સિંહોના રેસ્ક્યુ કરી જુનાગઢ સકકરબાગ ઝુ ખાતે લઇ જવાયા. એશિયાટિક સિંહો પર ભેદી રોગચાળાનું સંકટ આવે તે પહેલા જ વનવિભાગ અલર્ટ થઈ ગયું છે.
CM રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે Unlock-3ની જાહેર થયેલી ગાઈડલાઈન સંદર્ભે મહત્વની બેઠક
અત્રે જણાવવાનું કે એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ગીર અભ્યારણ્યમાં જ જોવા મળે છે. ત્યારે તેની સાચવણી વધુ મહત્વની બની જાય છે. ભેદી રોગચાળાનું કોઈ સંકટ ન આવે તેને લઈને હવે પ્રશાસન દોડતું થયું છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે