અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કોરોના વાયરસના 21 હજાર 543 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન કુલ 1467 દર્દીઓના મૃત્યુ પણ થયા છે. આજે નવા કેસ સામે આવ્યા બાદ અમદાવાદ મહાનગર પાલિકાએ ફરી માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાં ફેરફાર કર્યો છે. શહેરમાં નવા 26 વિસ્તાર માઇક્રો કન્ટેઈનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો આ અગાઉના 60 વિસ્તારમાંથી બે વિસ્તારને રદ્દ કરવામાં આવ્યા છે. આમ હવે શહેરમાં કુલ 84 માઇક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર અસ્તિત્વમાં છે.
આ એરિયાને કરાયા દૂર
અમદાવાદના સાઉથ ઝોનમાં વટવા વોર્ડના સ્વામિનારાયણ સોસાયટી અને સ્મૃતિ મંદિર એરિયાને તો નોર્થ વેસ્ટના બોડકદેવમાં ગેલેક્સી ટારવને કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે