હિતલ પારેખ/ગાંધીનગર :તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જી છે. પરંતુ તેનાથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડા (gujrat
cyclone) ના કારણે મૃત્યુ આંકમાં વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કરંટ લાગવાથી થયા છે.
વાવાઝોડા (Cyclone Tauktae) થી ગુજરાતભરમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા છે. ક્યા કેટલા મોત થયા તેના પર નજર કરીએ
રાજ્યમાં સવારે 6 થી 8 સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ પડ્યો છે. ગુજરાત સવારે 6 થી 8 મા 11 તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાની
અસર ઓછી થતા વરસાદ ઘટ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે