ઝી બ્યુરો/સુરત: આખા ગુજરાતમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે. સુરત શહેરમાં રોજે ડોગ બાઈટના 65 કેસ નોંધાઈ રહ્યા છે. વર્ષ 2022-23માં ડોગ બાઈટના 11 હજાર 818 કેસ નોંધાયા છે. શ્વાનના ખસીકરણ પાછળ પાલિકાએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યાનો દાવો કર્યો છે. તેમ છતાં પણ રખડતા શ્વાન લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે. રખડતા શ્વાનના આતંકથી લોકો ડરી ડરીને ઘરની બહાર નિકળી રહ્યા છે.
અમદાવાદમાં પણ રખડતા શ્વાનનો કાળો કહેર યથાવત છે. છેલ્લા 17 મહિનામાં સોલા સિવિલમાં 11 હજાર 444 દર્દીને સારવાર અપાઈ. જેમાં 5,453 પુખ્ત વયના લોકો અને 6 હજાર જેટલા બાળકોનો સમાવેશ થાય છે. આમ 53 ટકા જેટલા બાળખો રખડતા શ્વાનનો શિકાર બન્યા છે.
મહત્વનું છે કે અમદાવાદની શેરીઓ, પોળ અને સોસાયટીઓમાં રખડતાં શ્વાનનો ત્રાસ એ હદે વકર્યો છે કે નાના બાળકો એકલાં જતાં પણ ડર અનુભવે છે. સોલા સિવિલમાં રખડતા શ્વાન કરડવાના કેસમાં બાળકોની સારવારના આંકડા પર નજર કરીએ તો...
રખડતા શ્વાનનો આતંક
ત્યારે હવે કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક ખસીકરણ પ્રોજેક્ટની જરૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે