Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદના અનોખા રામભક્ત; 6 ફૂટની રામકથા પુસ્તક તૈયાર કર્યું, પુસ્તક મેળામાં આકર્ષણનું કેન્દ્ર

આ પુસ્તકમાં ભગવાન રામનું જીવન, પૌરાણિક અયોધ્યાનું વર્ણન, અયોધ્યાનો ઈતિહાસ, હનુમાન ગઢીનો ઈતિહાસ, ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે, લક્ષ્મણ ઘાટ, સરયૂ નદીનો ઈતિહાસ, રાજકારણ અને અયોધ્યા વિવાદની વિગતોનો સમાવેશ થાય છે.

અમદાવાદના અનોખા રામભક્ત; 6 ફૂટની રામકથા પુસ્તક તૈયાર કર્યું, પુસ્તક મેળામાં આકર્ષણનું કેન્દ્ર

ઝી બ્યુરો/અમદાવાદ: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે લોકોમાં ભારે ઉત્સાહ છે. ત્યારે ગુજરાતના અપૂર્વ શાહે રામ મંદિરના ઉદ્ઘાટન અને ભગવાન રામની મૂર્તિના અભિષેક કાર્યક્રમ માટે અનોખી ભેટ તૈયાર કરી છે...‘રામ એક આસ્થા કા મંદિર’ નામનું આ પુસ્તક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ 90 ઈંચના પુસ્તકમાં વર્ષ 1528 થી 2020 સુધીના અયોધ્યા રામ મંદિરનો ઈતિહાસ લખવામાં આવ્યો છે. 

fallbacks

આફતનુ સંકટ: ગુજરાતના આ વિસ્તારોમાં સોમવારથી પડશે ભારે વરસાદ, પાક સુરક્ષિત રાખવા આદેશ

તેમાં અયોધ્યાના ઈતિહાસ ઉપરાંત ભગવાન રામ અને રામ રાજ્યના ગુણો વિશે પણ લખ્યું છે. આ પુસ્તકમાં ભગવાન રામનું જીવન, પૌરાણિક અયોધ્યાનું વર્ણન, અયોધ્યાનો ઈતિહાસ, હનુમાન ગઢીનો ઈતિહાસ, ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે, લક્ષ્મણ ઘાટ, સરયૂ નદીનો ઈતિહાસ, રાજકારણ અને અયોધ્યા વિવાદની વિગતોનો સમાવેશ થાય છે.

તમારો હોય કે પડોશીનો પણ કૂતરો કરડી જશે તો તમને થશે સજા, આ છે નવો કાયદો

અપૂર્વ શાહ અમદાવાદમાં નવરંગ પ્રિન્ટર્સ નામનું ડિજિટલ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે. આ પુસ્તક તેમણે લગભગ એક વર્ષ પહેલા તૈયાર કર્યું હતું. આ પુસ્તક દેશભરના પુસ્તક મેળાઓમાં પ્રદર્શિત થાય છે. આ દિવસોમાં આ પુસ્તક અમદાવાદ પુસ્તક મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. અપૂર્વ શાહે 6 ફૂટની લાઈફ સાઈઝ બુક બનાવી છે. ‘રામ એક આસ્થા કા મંદિર’ નામનું આ પુસ્તક લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અપૂર્વ શાહનું કહેવું છે કે તેણે આ પુસ્તક રામ મંદિર ટ્રસ્ટના ચંપત રાયને આપવા માટે બનાવ્યું છે. સ્ટીલની ફ્રેમમાં જડેલા આ પુસ્તકની ઉત્પાદન કિંમત 80 હજાર રૂપિયા છે.

ગુજરાતના રોડ પર દોડશે વધુ એક વિદેશી ગાડી? જાણો કંઈ કંપની ગુજરાતમાં આવવા છે ઈચ્છુક?

અપૂર્વ શાહે જણાવ્યું કે 36 પાનાના આ પુસ્તકમાં અલગ-અલગ પ્રકરણો આપવામાં આવ્યા છે. તેમાં અયોધ્યાના ઈતિહાસ ઉપરાંત ભગવાન રામ અને રામ રાજ્યના ગુણો વિશે પણ લખ્યું છે. પુસ્તકમાં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય માટે બે પેજ પણ આપવામાં આવ્યા છે. અપૂર્વ શાહે 6 ફૂટના પુસ્તક ‘રામ એક આસ્થા કા મંદિર’ની માત્ર એક નકલ તૈયાર કરી છે. તેમણે સામાન્ય લોકો માટે 11 ઇંચની નાની બુક તૈયાર કરી છે. 

અમદાવાદમાં નહીં તો ક્યા ઉજવાશે કાઈટ ફેસ્ટિવલ?સૌથી અલગ સૌથી ખાસ હશે પતંગ મહોત્સવ

આ પુસ્તકની કિંમત 300 રૂપિયા છે. તેમાં ભગવાન રામનું જીવન, પૌરાણિક અયોધ્યાનું વર્ણન, અયોધ્યાનો ઈતિહાસ, હનુમાન ગઢીનો ઈતિહાસ, ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે, સીતા રસોઈનો ઈતિહાસ, લક્ષ્મણ ઘાટ, સરયૂ નદીનો ઈતિહાસ, રાજકારણ અને અયોધ્યા વિવાદની વિગતોનો સમાવેશ થાય છે. થી લખાયેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More