Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ફરી ઉછળ્યો સરકારી ભરતીમાં ઠગાઈનો કિસ્સો! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના મોટા ઘટસ્ફોટ

યુવરાજસિંહ જાડેજાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ભોગ બનનાર ગૌરાંગ ગજ્જર પણ જોડાયો હતો. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે. જેમાં નકલી નિમંણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવે છે.

ગુજરાતમાં ફરી ઉછળ્યો સરકારી ભરતીમાં ઠગાઈનો કિસ્સો! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના મોટા ઘટસ્ફોટ

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં અનેકવાર સરકારી ભરતીમાં કૌભાંડ ખૂલ્યા છે, ત્યારે સરકારી ભરતીમાં નોકરી અપાવવાની લાલચમાં ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા અનેક આરોપ લગાવવામાં આવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે GSRTC માં નોકરી અપાવવાના નામે ઠગાઈ કરાઈ છે. પૈસા લઈને બોગસ એપોઇનમેન્ટ પણ આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 97,200 નોકરી માટે ઉમેદવારે એક વ્યક્તિને આપ્યા હતા. નિલેશ મકવાણા અને આશિષ ખ્રિસ્તીયન નામના વ્યક્તિ પૈસા લીધા હોવાના પુરાવા પણ આપ્યા છે. ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવા અરજી આપ્યા બાદ બે મહીના પછી વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા. પરંતુ સામાન્ય અરજી લઈને આજદિન સુધી કોઈ જગાએ ગુનો નોંધવામાં આવેલ નથી.

fallbacks

લે ભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા: યુવરાજસિંહ જાડેજા
આ ઘટનાને લઈને યુવરાજસિંહ જાડેજાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ભોગ બનનાર ગૌરાંગ ગજ્જર પણ જોડાયો હતો. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર નિગમમાં વિવિધ ભરતીઓમાં આ કૌભાંડ થયું છે. જેમાં નકલી નિમંણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, આઈકાર્ડ આપવામાં આવે છે. લે ભાગુ તત્વો દ્વારા ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે. ઉમેદવારોને જ્યારે જાણ થઈ કે આ બાબતે તેમની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદમાં જાણ કરવામાં આવી હતી. આ કેસમાં મુખ્યમંત્રી સુધી જાણ કરવામાં આવી છે. જોકે હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. ગૃહરાજ્યમંત્રી કહે છે કે કોઈપણની ફરિયાદ થવી જોઈએ. જોકે આમાં ભોગ બનનાર 6 મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે, પણ ફરિયાદ નોંધાવવા આવતી નથી. 

મુખ્ય આરોપી બોરસદનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેલીફોન રેકોર્ડિંગના પુરાવા પણ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. ઈમેલના માધ્યમથી એપોઇન્ટમેન્ટ લેટર પણ નકલી મોકલવામાં આવતો હતો. ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામનો સિનિયર પ્રાર્થનો લેટર પણ ઇસ્યુ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી પાસે અમારી માંગણી છે કે આ તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવામાં આવે. 

ભોગ બનનાર ગૌરાંગ ગજ્જરે આપ્યું નિવેદન?
ગૌરાંગ ગજ્જર જે પીડિત છે અને આ ઘટનામાં ભોગ બન્યો છે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદનો કોમ્પ્યુટર રીપેર કરનાર આશિષ ખ્રિશિયન નામના વ્યક્તિ દ્વારા તેઓ સંપર્કમાં આવ્યા હતા. આશિષ ક્રિશ્ચિયન દ્વારા જ નોકરી આપવાની લાલચ આપી હતી. રૂપિયાનો વ્યવહાર થશે પછી સો ટકા નોકરી મળી જશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. પોતાની ઉંમર 41 વર્ષ હોવાથી વહી મર્યાદામાં નોકરી ન મળે પણ આશિષે ખાતરી આપી હતી કે તેઓને નોકરી મળી જશે. મુખ્ય આરોપી નિલેશ મકવાણાના ખાતામાં તેઓએ 97,000 થી વધુ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. હવે નિલેશ મકવાણા દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. 

નોંધનીય છે કે, GSRTC માં સિનિયર ક્લાર્ક અને કન્ડક્ટર નોકરી આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી અને પીડિત દ્વારા સત્તત 4 મહિનાથી પોલીસ ફરિયાદ માટે પોલીસ સ્ટેશન થી મુખ્યમંત્રી કાર્યાલય સુધી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેની ફરિયાદ લેવામાં યુવરાજસિંહ જાડેજા નથી. પીડિત દ્વારા નોકરીનું સપનું દેખાડી ઠગાઈ કરી હોવાનું માલૂમ થતા પહેલા ખોખરા પોલીસ સ્ટેશન અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવા અરજી આપેલ ત્યારબાદ બે મહીના પછી વટવા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવા ગયા હતા. પરંતુ સામાન્ય અરજી લઈને આજદિન સુધી કોઈ જગાએ ગુનો નોંધવામાં આવેલ નથી.

આરોપી વિરુદ્ધ તમામ પુરાવા હૉવા છતા એફ.આઇ.આર દાખલ કરવામા આવતી નથી આ બાબતની જાણ...
👉🏻 ગૃહ વિભાગ,ડી.જી.પી,પોલીસ કમિશનર અમદાવાદ,
👉🏻 મુખ્ય મંત્રી શ્રી ગુજરાત,
👉🏻 સ્પેશિયલ ઓપરેશન ગૃપ,કાઇમ બ્રાન્ચ,સેક્ટર 2,ડી.સી.પી.ઝોન 5 અમરાઇવાડી,
👉🏻 એ.સી.પી ખોખરા,પી.આઇ સાહેબ,
👉🏻 વટવા જી.આઇ.ડી.સી.પૉ.સ્ટેશન
☝સમગ્ર જગ્યા એ ઉચ્ચ સ્તરીય અરજી મોકલતા 2 મહીના ઉપર થઇ ગયા હૉવા છતા આપેલ અરજી સામે આજદિન સુધી કોઇ પણ કાર્યવાહી થયેલ નથી.

ઠગાઈ કરનાર મુખ્ય વ્યક્તિ નિલેશ મકવાણા (વતન - બોરસદ)
અને ત્યાંસુધી પહોચાડનાર આશિષ ક્રિશ્ચન નામનો વ્યક્તિ હતો.
(કોમ્પ્યુટર રિપેર કરનાર,ખાનગી કંપની માં નોકરી કરતો)

►  જેમાં એક યુવાન પાસેથી 97200 રૂપિયા પડાવી લીધા હતા.
►  આ તમામ પૈસાનો વહેવાર ઓનલાઈન કરવામાં આવેલ હતા.
►  જેમાં GSRTC નો નકલી એપોઇમેન્ટ લેટર આપવામાં આવ્યા.
►  અનેક યુવાનોને નકલી આઈકાર્ડ પણ બનાવી આપેલ.
►  અંદાજિત 45+ જેટલા લોકો સાથે ઠગાઈ થયેલ છે.

અમારી માંગણી

  • તાત્કાલિક ધોરણે ઠગાઈ કરનારની (નિલેશ મકવાણા) ધરપકડ કરવામાં આવે. તેના વિરોધ ગુનો નોંધવામાં આવે.
  • અમારા જોડે તમામ સાઇન્ટિફિક પુરાવા ઉપલબ્ધ છે.
  • (વોટસ એપ ચેટ, ઓડિયો રેકોર્ડિંગ, આરોપી સાથે થયેલ વાર્તાલાપ, પેમેન્ટ (આર્થિક લેતીદેતી) ની તમામ નોંધણી(મોટા ભાગના પૈસા ઑનલાઇન ટ્રાન્ઝેક્શનથી કરેલ))
  • સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરી, ખોટા સિક્કાનો ઉપયોગ, બનાવટી આઇડી કાર્ડ અમોને આપી,  કપટપૂર્વક, બદદાનતથી ઈરાદાપૂર્વક લલચાવી ઠગાઈ કરી છે.
  • સરકાર આવા લેભાગું તત્વો વિરોધ કાયદેસરની કડક કાર્યવાહી કરે, અમારા જોડે તો ઠગાઈ થઈ જ છે પરંતુ ગુજરાતમાં કે અન્ય કોઈપણ સાથે આ પ્રકારની ઠગાઈ કે છેતરપિંડી ન થાય તેવો દાખલો બેસાડવામાં આવે.
  • આરોપી દ્વારા (બીડાંણ 1) માં કબૂલાત કરવામાં આવી છે કે આ રીતે 4 જેટલા લોકોને અમદાવાદમાં સેટિંગ કરી નોકરી આપવામાં આવેલ છે. 
  • આ ચાર લોકો કોણ છે તેની તપાસ કરવામાં આવે ..
  • અમદાવાદમાં કોઈ અધિકારી ટચમાં છે તેવી વાત પણ કરવામાં આવે છે તો આ અધિકારી કોણ?
  • આ રીતે લોભામણી વાત કરી લોકોને બરોડા ST ડેપો માં બોલાવવામાં આવતા હતા. બરોડામાં પણ મોટા અધિકારી સાથે ઓળખાણ છે તેવી વાતો કરવામાં આવતી હતી. ડોક્યુમેનેટ વેરીફીકેશન કે અન્ય બાબતો માટે ઉમેદવારોને બરોડા જ બોલાવવામાં આવતા હતા.
  • બરોડાના ક્યાં ઊંચ અધિકારી આમના સંપર્કમાં છે અને કેટલા કેટલા લોકોની છેતરપિંડી કરવામાં આવી ? તે તપાસનો વિષય છે.
  • જો આની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ સામે આવી શકે છે.
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More