અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરીજનો માટે કોરોના મહામારીમાં એક ખુશખબર મળી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્ષ માફી મામલે અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ટેક્સ માફીનો નિર્ણય લેવાયો હોવાની માહિતી મળી રહી છે. શહેરની 5521 મિકલત ધારકોનો ચાલુ નાણાંકીય વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય રેસ્ટોરન્ટ-હોટેલ, મલ્ટીપ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક અને જીમનેશયમનો રૂપિયા 50 કરોડનો ટેક્સ માફ કરવાનો નિર્ણય લેવાયો છે.
કોરોનાના કારણે રાજય સરકારે સહાય આપવા અંગે નિર્ણય કર્યો હતો. પરંતુ આખરે AMC દ્વારા સત્તાવાર ઠરાવ કરવામાં આવ્યો છે. પરંતુ જેઓએ ટેક્સ ભરી દીધો હશે, તેઓને આવતા વર્ષના બીલમાં ક્રેડિટ અપાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે