Gujarat Politics News : ગુજરાત મોડલનું બ્રાન્ડિંગ ભાજપે કર્યું હતું. હવે સ્થિતિ એવી છે કે, દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં સક્રિય બની ગઈ છે. એક તરફ કોંગ્રેસે પરિવર્તનનું બ્યૂગલ ફૂંકી દીધું છે. તો બીજી તરફ, આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય બની ગઈ છે. તેમાં પણ વિસાવદરની પેટાચૂંટણી માટે માર્ગ મોકળો થતાં રાજકીય પક્ષો ગુજરાતમાં કૂદાકૂદ કરી રહ્યાં છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીએ વિસાવદર ખાતે કાર્યકર્તા મહાસંમેલન યોજ્યું હતું.
કોંગ્રેસના અધિવેશન બાદ આપનું મહાસંમેલન
વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીએ પ્રદેશ કાર્યકર્તા મહાસંમેલન યોજ્યું હતું. જેમાં ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ તથા મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. વિસાવદરમાં ભાજપના મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ બે જ દિવસમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો છે.
વિસાવદરની પેટાચૂંટણી માટે માર્ગ મોકળો થતાં રાજકીય પક્ષો સક્રિય થયા છે. ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે કહ્યું કે, આજે કાર્યકર્તા મહાસંમેલનમાં સંકલ્પ લેવાયો છે. ગુજરાતમાં ભાજપ સરકારના અત્યાચારને બદલવાનો છે, પરિવર્તનની લડાઈની આજથી શરૂઆત થઈ છે. આગામી દિવસોમાં 26 લોકસભા અને 182 વિધાનસભા બેઠક પર પ્રભારીની નિયુક્તિ કરવામાં આવશે, જે સંગઠન નિર્માણનું કામ કરશે. આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. ભાજપના ડરના સામ્રાજ્યને બદલવા પરિવર્તન અભિયાન કરશે.
ગુજરાતના રાજકારણનું નવું પિક્ચર, ભાજપ-કોંગ્રેસ સરદારમાં વ્યસ્ત, આપની અલગ કહાની
ગુજરાત દિને આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ
ભાજપને હરાવવા કોંગ્રેસ અમને સમર્થન કરશે - ઈસુદાન ગઢવી
કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, લોકસભાની ચૂંટણી વખતે દેશ બચાવવાની વાત સાથે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, એ સમયે વિસાવદર આપના ભાગે અને બીજી બેઠક કોંગ્રેસને ભાગે હતી. અમને વિશ્વાસ છે કોંગ્રેસ તેના વચન સાથે ઉભી રહેશે. ભાજપને હરાવવા કોંગ્રેસ અમને સમર્થન કરશે. જ્યાં કોંગ્રેસ તરફથી સહકારની વાત આવશે તેને અમે પણ સ્વીકારીશું. વિસાવદર બેઠક ભાજપ વિરોધી બેઠક છે. આ બેઠક આમ આદમી પાર્ટીએ જીતી હતી. કોંગ્રેસ તેનું વચન પાળે તેવી અપેક્ષા છે.
ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી, મિશન ગુજરાત માટે કરશે કામ
વિસાવદરનો વિકાસ ભાજપને કારણે અટક્યો - ગોપાલ રાય
AAP પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, વિસાવદરનો વિકાસ ભાજપને કારણે અટકી પડ્યો છે. વિસાવદરના મતદારો અને ખેડૂતોએ ભાજપને જાકારો આપ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી વિસાવદરમાં ધારાસભ્ય નથી. 13 એપ્રિલથી વિસાવદરમાં AAP પાર્ટી ચૂંટણી કેમ્પેઈન શરૂ કરશે.
ભાજપથી મતદારો નારાજ છે - ગોપાલ રાય
કોંગ્રેસના અધિવેશન મામલે ગોપાલ રાયે કહ્યું કે, કોંગ્રેસે અધિવેશન કરવાની જરૂર જ હતી. ભાજપથી નારાજ થયેલા ગુજરાતના લોકો કોંગ્રેસના સમર્થનમાં આવ્યા જ છે. રાહુલ ગાંધીએ પણ કહ્યું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે ભળેલા છે. ભાજપથી મતદારો નારાજ છે.
તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે કહ્યું કે, સ્થાનિક કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવું તે અંગે નિર્ણય લેવાશે. AAP હાઇ કમાન્ડના નેતાઓ સાથે ચર્ચા કરી રણનીતિ જાહેર કરવામાં આવશે.
ગુજરાતના મહાકુંભમાં આવી મોડી અડચણ, રસ્તો બંધ કરી દેતા નર્મદા પરિક્રમાવાસી પરત ફર્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે