Gujarat Election 2022: સુરત આમ આદમી પાર્ટીમાં ભડકો જોવા મળી રહ્યો છે. કતારગામ વિસ્તારમાં આપના કાર્યકરોની નારાજગી સામે આવી છે. આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ પાર્ટીમાં રૂપિયા લઈને ટિકિટ વેચાતી હોવાનો ગંભીર આક્ષેપ છે, સાથે આમ આદમી પાર્ટીમાં રહીને આમ આદમી પાર્ટીના ઉમેદવારને હરાવવાની જાહેરાત પણ કરી છે.
આમ આદમી પાર્ટીના નેતાઓને ખુલ્લા પાડવા એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજનારા મહાસંમેલનમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના પુરાવા પણ રજૂ કરવામાં આવશે, તેવી જાહેરાત નારાજ આપના કાર્યકર રાજુ દિયોરાએ કરી છે.
આપ પાર્ટીના કાર્યકર રાજુ દિયોરાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે,ગુજરાતની અંદર 182 વિધાનસભાની સીટ છે. 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત થયો છે. નારાજ 10 હજાર લોકોનું મહા સંમેલન અમે યોજવા જઈ રહ્યા છે. આપ પાર્ટીમાં જે લોકોએ મહેનત કરી છે એવા લોકોને સાઈટ કરવામાં આવ્યા છે અને લોકો પાસેથી પૈસા લઈને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. અમે કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. આમ આદમી પાર્ટીની સામે લડાઈ લડીને 182 બેઠક પર આ પાર્ટીને એક પણ બેઠક પર જીતવા દઈશું નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે