ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પ્રેમ લગ્ન કરીને ફરાર થઈ ગયેલી મહિલાની હત્યાના કેસમાં આશ્ચર્યજનક ઘટસ્ફોટ કર્યો છે. જે મહિલાની એક વર્ષ પહેલાં લગ્ન કરીને બીજા જોડે ભાગી ગઈ હોવાના મનદુઃખમાં હત્યા કરી હોવાની આરોપીઓએ હકીકત જણાવી હતી.. તે મહિલાની હત્યા પાછળનું કારણ કંઇક અલગ નીકળ્યું..! શું છે દાણીલીમડામાં કરાયેલ નસરીન બાનુંની હત્યાની કહાની.
ગુજરાતમાં આ રોગોથી હાહાકાર! સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, રોજ 700..
નસરીન બાનું શેખની હત્યાનું કાવતરું ક્રાઇમબ્રાંચ ઉકેલી નાખ્યું છે. નસરીન શેખ ને ફોઈ ના દીકરા સાથે લગ્ન નક્કી કર્યા હતા, પણ નસરીને તેના પ્રેમી અખતર આલમ સાથે ભાગીને લગ્ન કર્યા. નસરીન તેના માતા પિતાની એકની એક સંતાન હતી. પ્રાથમિક તબક્કે નસરીનની હત્યાનું કારણ લગ્નની નારાજગી બહાર આવ્યું હતું. તપાસ કરતા હત્યા પાછળ ની હકીકત અલગ જ સામે આવી! ફરી એકવાર જર, જમીન અને જોરુ હત્યાનું કારણ નીકળ્યું છે.
BJP ના સદસ્યતા અભિયાન પર ફરી વિવાદ, ધરમપુરમાં કોંગ્રેસના અગ્રણીઓ બની ગયા ભાજપના સભ્ય
કહેવાય છે કે રૂપિયાની લાલચ માણસને આંધળો બનાવી દે છે. તેમાં પણ જો કરોડો રૂપિયાની વાત હોય ત્યારે તો માણસ પર રૂપિયાનું ભૂત સવાર થઈ જાય એ સ્વાભાવિક છે. દાણીલીમડામાં એક વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો તેમાં પણ આવું જ બન્યું. પ્રેમ લગ્ન કરીને ઘર વસાવનાર નસરીન બાનુ શેખને ખબર પણ ન હતી કે તેની ઘાતકી હત્યાનો કારસો રચાઈ ગયો છે. લોકોને લાગ્યું કે નસરીને તેના ફોઈના દીકરા સાથે નક્કી કરેલા લગ્ન તોડીને તેના પ્રેમી સાથે લગ્ન કર્યા એટલે નારાજગી માં તેની હત્યા કરાઈ છે.. પણ નસરીન ની હત્યાનું કારણ કઈક અલગ જ હતું. શું હતું હત્યાનું કારણ આવો સાંભળીયે.
ઓફિસના વર્કલોડે લીધો CA નો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને સરકારે લીધો મોટો નિર્ણય
દાણીલીમડાની પરણીતા ની હત્યાનું કાવતરું ક્રાઇમબ્રાંચ એ ઉકેલી નાખ્યું છે.. જેમાં નસરીન ને ફોઈ ના દીકરા સાથે લગ્ન નક્કી કર્યા હતા પણ નસરીને તેના પ્રેમી અખતર આલમ સાથે ભાગીને લગ્ન કર્યા હતા જેના કારણે નારાજગીમાં હત્યા કરાઈ હોવાની વાત પોકળ સાબિત થઈ છે. હકીકતમાં નસરીન તેના માતા પિતા ની એક ની એક સંતાન હતી.. જેથી કરોડો રૂપિયાની 20 વીઘા જમીન તેને મળવાની હતી.
પિતૃપક્ષમાં ન કરવી જોઈએ ખરીદી, પરંતુ પિતૃઓ માટે આ 5 વસ્તુ ચોક્કસ ખરીદજો
આ વાતની જાણ તેના સગા પિતરાઈ ભાઈઓને હતી. અને એટલે તેના ફોઈના દીકરા સાથે તેના લગ્ન કરવી 20 વીઘા જમીન મેળવી લેવાનો ખેલ રચ્યો હતો. પણ નસરીને બીજા સાથે લગ્ન કરીને પ્લાન ચોપાટ કરી દીધો. જેથી હત્યાનું કારણ લગ્નની નારાજગી બતાવાઈ નસરીન ના પિતાની 20 વીઘા જમીન હડપી લેવા હત્યાનું કાવતરું ઘડાયું. જેમાં નસરીન બાનુ નું ઘર બતાવનાર મંજર આલમ મણિયાર ઉર્ફે કલવાની ધરપકડ ક્રાઇમબ્રાન્ચ એ કરી લીધી અને તમામ હકીકત ખૂલીને સામે આવી ગઈ. જેમાં હવે નસરીન બાનુંની હત્યામાં સંડોવાયેલા અન્ય બે 2 આરોપી જે પિતરાઈ ભાઈઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચ એ કવાયત હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે